Thursday, January 22, 2026

અમદાવાદના આ જ્વેલર્સના માલિક ઉપર વ્યાજખોરની FIR; 20 લાખની સામે 1 કરોડ 43 લાખનું વ્યાજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાં જ્વેલર્સ શોપના માલિક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. શો રૂમના માલિકે દાગીના ગીરવે મુકાવીને 20 લાખ રૂપિયા આપીને સામે 48 લાખ રૂપિયા વ્યાજ લીધું હતું. છતાં મહિલાને દાગીના પરત આપ્યા નથી. શો રૂમ માલિકે 95 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે અંગે વસ્ત્રાપુર પોલીસે વ્યાજખોર જ્વેલર્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા મીનાબેન ભટ્ટની ફરિયાદ મુજબ, 2015ની સાલમાં તેમણે અલગ અલગ સમયે તેમના 859 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકીને વસ્ત્રાપુર તળાવ પાસેથી આવેલા ઝાંઝર જ્વેલર્સના માલિક વસંત પાસેથી 20 લાખ રૂપિયા માસિક અઢી ટકાના વ્યાજે લીધા હતા. જેનું દર ત્રણ મહિને દોઢ લાખ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. મીનાબેન પટેલ અત્યાર સુધી 48.50 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે. છેલ્લા બાર મહિનાથી સગવડ ન હોવાથી વ્યાજ ચૂકવી શક્યા નથી.

જ્વેલર્સ શો રૂમના માલિકે વસંત શાહે વ્યાજના પૈસાની માંગણી કરતા મીનાબેન અને તેમના પતિ વસંતભાઈની દુકાને ગયા હતા. તેમણે વસંતભાઈને જણાવ્યું હતું કે, હિસાબ કરી અમારા દાગીના તમે વેચાણમાં રાખી લો અને વ્યાજ તથા મૂડી કાપીને અમારી લેવાની થતી બાકીની રકમ અમને આપી દો. ત્યારે વસંતે જણાવ્યું હતું કે, તમારે 2019થી વ્યાજ ચૂકવવાનું બાકી છે, જેથી તમારે 95 લાખ રૂપિયા આપવાના હિસાબ નીકળે છે. તમે 95 લાખ રૂપિયા આપી જાવ અને તમારા દાગીના લઈ જાવ.

આ અંગે મીનાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં વર્ષ 2019માં વસંતે 2.5 ટકા વ્યાજની માંગણી કરી હતી, તેનું પણ રેકોર્ડિંગ પોલીસને સોંપ્યું છે. પોલીસે આ મામલે વ્યાજખોર વસંત શાહ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...