Wednesday, March 18, 2026

અમદાવાદના આ જ્વેલર્સના માલિક ઉપર વ્યાજખોરની FIR; 20 લાખની સામે 1 કરોડ 43 લાખનું વ્યાજ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાં જ્વેલર્સ શોપના માલિક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ છે. શો રૂમના માલિકે દાગીના ગીરવે મુકાવીને 20 લાખ રૂપિયા આપીને સામે 48 લાખ રૂપિયા વ્યાજ લીધું હતું. છતાં મહિલાને દાગીના પરત આપ્યા નથી. શો રૂમ માલિકે 95 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે અંગે વસ્ત્રાપુર પોલીસે વ્યાજખોર જ્વેલર્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા મીનાબેન ભટ્ટની ફરિયાદ મુજબ, 2015ની સાલમાં તેમણે અલગ અલગ સમયે તેમના 859 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકીને વસ્ત્રાપુર તળાવ પાસેથી આવેલા ઝાંઝર જ્વેલર્સના માલિક વસંત પાસેથી 20 લાખ રૂપિયા માસિક અઢી ટકાના વ્યાજે લીધા હતા. જેનું દર ત્રણ મહિને દોઢ લાખ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. મીનાબેન પટેલ અત્યાર સુધી 48.50 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે. છેલ્લા બાર મહિનાથી સગવડ ન હોવાથી વ્યાજ ચૂકવી શક્યા નથી.

જ્વેલર્સ શો રૂમના માલિકે વસંત શાહે વ્યાજના પૈસાની માંગણી કરતા મીનાબેન અને તેમના પતિ વસંતભાઈની દુકાને ગયા હતા. તેમણે વસંતભાઈને જણાવ્યું હતું કે, હિસાબ કરી અમારા દાગીના તમે વેચાણમાં રાખી લો અને વ્યાજ તથા મૂડી કાપીને અમારી લેવાની થતી બાકીની રકમ અમને આપી દો. ત્યારે વસંતે જણાવ્યું હતું કે, તમારે 2019થી વ્યાજ ચૂકવવાનું બાકી છે, જેથી તમારે 95 લાખ રૂપિયા આપવાના હિસાબ નીકળે છે. તમે 95 લાખ રૂપિયા આપી જાવ અને તમારા દાગીના લઈ જાવ.

આ અંગે મીનાબેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેમાં વર્ષ 2019માં વસંતે 2.5 ટકા વ્યાજની માંગણી કરી હતી, તેનું પણ રેકોર્ડિંગ પોલીસને સોંપ્યું છે. પોલીસે આ મામલે વ્યાજખોર વસંત શાહ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...