Thursday, January 22, 2026

અમદાવાદમાં દારૂના નશામાં BMW ચાલકે BRTS રેલિંગમાં ઘુસાડી કાર, સ્થાનિકો શાન ઠેકાણે લાવ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાંથી અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે જેમાં જોધપુર ગામ પાસે આવેલ સ્ટાર બજાર પાસે દારૂ પીધેલા કાર ચાલકે ઓવર સ્પીડમાં BMW કાર ચલાવી BRTS રેલિંગ સાથે કાર અથડાવી હતી.અકસ્માતના પગલે સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રવિવારે રાત્રી સેટેલાઇટ વિસ્તારમાં સ્ટાર બજાર પાસે કારચાલકે BRTS રેલિંગ સાથે કાર અથડાવી હતી. જે બાદ લોકો એકઠા થઇ ગયા હતા.અને કારચાલકને કારની બહાર આવવા કહ્યું હતું.. દરમ્યાન કારચાલક દારૂ પીધેલી અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

કારચાલકની પૂછપરછ દરમિયાન પોતાનું નામ રજનીકાંત અગ્રવાલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે કાર લઈને ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો તથા દારૂની મહેફિલ ક્યા કરી હતી તે દિશામાં વધુ પૂછપરછ શરૂ કરી છે. બીજી બાજુ અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક પોલીસે 20 મિનિટ સુધી કામગીરી કરી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...