Wednesday, January 21, 2026

અમદાવાદમાં બે દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં PCBએ ચાર રેડમાં દારૂની 3201 બોટલ પકડી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ થાય તે માટે શહેર પોલીસ કમિશનરે પ્રયાસ હાથ ધર્યા છે. તેવામાં PCBની ટીમે સરદારનગરના એક મકાનમાં PCBએ દરોડો પાડીને દારૂની 1837 બોટલ, વેજલપુરમાં બરફની ફેક્ટરી પાસે જમીનમાં ખાડો ખોદીને છુપાવી રાખેલી દારૂની 501 બોટલ પકડી પાડી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરદારનગરના નોબલનગરમાં વાલ્મીકિ આવાસના મકાનમાં રહેતા બુટલેગર શ્રવણ ઉર્ફે બલિયો ઠાકોર અને અશ્વિન ઠાકોરે ઘરમાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી PCB પીઆઈ જે. પી. જાડેજાને મળી હતી, જેના આધારે તેમણે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. જોકે મકાન બંધ હતું અને તેમાં કોઈ હાજર ન હતું. પોલીસે મકાનનો દરવાજો તોડીને તપાસ કરતા તેમાંથી દારૂની 1837 બોટલ (કિંમત રૂ.2.52 લાખ) મળી આવી હતી. પોલીસે દારૂ કબજે કરી ફરાર બંને બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.

ઉપરાંત PCB ની ટીમે વેજલપુરમાં બરફની ફેક્ટરી નજીક એક ઝૂંપડીની પાછળના ભાગમાં ખાડો ખોડીને છુપાવેલી 501 બોટલ પકડી પાડી હતી. જોકે જે જગ્યાએથી દારૂ મળી આવ્યો ત્યાં કોઈ હાજર ન હોવાથી પોલીસે બુટલેગરને પકડવા તજવીજ શરૂ કરી હતી.ઉપરાંત 2 દિવસ પહેલાં પણ PCBએ રામોલમાંથી દારૂની 510, બોડકદેવમાંથી દારૂની 362 બોટલ પકડી પાડી હતી. આમ બે દિવસમાં PCBની ટીમે 4 રેડમાં દારૂની 3201 બોટલ પકડી પાડી છે.

PCBની ટીમે 2 દિવસ પહેલા રામોલના ગંગા એપાર્ટમેન્ટની સિક્યોરિટી કેબિનમાંથી પણ દારૂની 510 બોટલ (રૂ.96,800) પકડી પાડી હતી. ઉપરાંત ઝાયડસ હોસ્પિટલ રોડ પરના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાંથી દારૂની 362 બોટલ(કિંમત રૂ.45,345) પકડી પાડી હતી.ત્યારે આ તમામ કેસોમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવી કોને વેચવાનો હતો અને સ્થાનિક પોલીસની કોઇ ભૂમિકા છે કે કેમ તે બાબતે પણ તપાસ શરૂ કરાઇ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...