Thursday, March 5, 2026

અમદાવાદીઓને AMCની અનોખી પહેલ, ઘર દીઠ બે કાપડની થેલીઓ આપવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની બેગ એટલે કે થેલી કે ઝભલાંનો ઉપયોગ નહીં કરવાની ઝુંબેશ ચાલે છે. જે પર્યાવરણ માટે આવકાર્ય છે. પ્લાસ્ટિકના વિકલ્પે કાગળ અને કાપડની બેગ વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે આ દિશામા અમદાવાદ પણ આગળ વધી રહ્યું છે હવે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જેમાં હવે અમદાવાદીઓને AMC દ્વારા કપડાની થેલીઓનું વિતરણ કરવામાં આવશે.અમદાવાદીઓને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને ઝડપથી આ થેલીઓ મળી રહે તેના માટે ચાર જેટલી વિવિધ એજન્સીઓને થેલીઓ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મટિરિયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટીના ચેરમેન બળદેવ પટેલે જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે લોકો હવે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી અને કાપડની થેલીઓનો ઉપયોગ કરે તેના માટે શહેરમાં દરેક ઘર દીઠ બે કાપડની થેલીઓ આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અંદાજિત 16 લાખ જેટલા મકાનો આવેલા છે જેથી દરેક ઘર દીઠ બે મળી 32 લાખ અને 1 લાખ વધુ એમ કુલ 33 લાખ જેટલી કાપડની થેલીઓ મેળવવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. 16X18 અને 14X16 ના માપની અને વધુમાં વધુ 10 કિલો જેટલું વજન ઉઠાવી શકે તેવી થેલીઓ બનાવવામાં આવશે.

ચાર જેટલી એજન્સીઓ આ ટેન્ડરમાં ક્વોલિફાય થઈ હતી. ઝડપથી થેલીઓ બની અને લોકોના ઘર સુધી પહોંચાડી શકાય તેના માટે 16X18 માપની થેલી બનાવવા માટે ઘનશ્યામ ફેબ્રિકેટસને 50 ટકા એટલે કે 16 લાખ બાકીની ઝેનિથ સેલ્સ, સીએ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને દિપક હેન્ડલુમ કંપનીને બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે. કોટન અને પોલિએસ્ટરની થેલીઓ 11.81 કરોડના ખર્ચે બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...