Thursday, January 22, 2026

અમદાવાદીઓને AMCની અનોખી પહેલ, ઘર દીઠ બે કાપડની થેલીઓ આપવામાં આવશે

spot_img
Share

અમદાવાદ : દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની બેગ એટલે કે થેલી કે ઝભલાંનો ઉપયોગ નહીં કરવાની ઝુંબેશ ચાલે છે. જે પર્યાવરણ માટે આવકાર્ય છે. પ્લાસ્ટિકના વિકલ્પે કાગળ અને કાપડની બેગ વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે આ દિશામા અમદાવાદ પણ આગળ વધી રહ્યું છે હવે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જેમાં હવે અમદાવાદીઓને AMC દ્વારા કપડાની થેલીઓનું વિતરણ કરવામાં આવશે.અમદાવાદીઓને ઘર દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને ઝડપથી આ થેલીઓ મળી રહે તેના માટે ચાર જેટલી વિવિધ એજન્સીઓને થેલીઓ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મટિરિયલ મેનેજમેન્ટ એન્ડ પરચેઝ કમિટીના ચેરમેન બળદેવ પટેલે જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે લોકો હવે પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી અને કાપડની થેલીઓનો ઉપયોગ કરે તેના માટે શહેરમાં દરેક ઘર દીઠ બે કાપડની થેલીઓ આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં અંદાજિત 16 લાખ જેટલા મકાનો આવેલા છે જેથી દરેક ઘર દીઠ બે મળી 32 લાખ અને 1 લાખ વધુ એમ કુલ 33 લાખ જેટલી કાપડની થેલીઓ મેળવવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. 16X18 અને 14X16 ના માપની અને વધુમાં વધુ 10 કિલો જેટલું વજન ઉઠાવી શકે તેવી થેલીઓ બનાવવામાં આવશે.

ચાર જેટલી એજન્સીઓ આ ટેન્ડરમાં ક્વોલિફાય થઈ હતી. ઝડપથી થેલીઓ બની અને લોકોના ઘર સુધી પહોંચાડી શકાય તેના માટે 16X18 માપની થેલી બનાવવા માટે ઘનશ્યામ ફેબ્રિકેટસને 50 ટકા એટલે કે 16 લાખ બાકીની ઝેનિથ સેલ્સ, સીએ ટેક્સટાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને દિપક હેન્ડલુમ કંપનીને બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્ત આજે મંજૂર કરવામાં આવી છે. કોટન અને પોલિએસ્ટરની થેલીઓ 11.81 કરોડના ખર્ચે બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...