Thursday, November 13, 2025

અમદાવાદમાં ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા પોલીસકર્મીનું મૃત્યુ, પોલીસ બેડામાં શોકનો માહોલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ચાલુ પરેડ દરમિયાન પોલીસકર્મીને હાર્ટ એટેક આવતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસકર્મીને છાતીમાં દુખાવો થતાં ત્યાં જ ઢળી પડ્યા હતા. સાથી પોલીસકર્મીઓ દ્વારા તેમને સીપીઆર (CPR) આપીને જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોમવારે સવારે ગોમતીપુર હેડ ક્વાર્ટર ખાતે પરેડ ચાલતી હતી. તે દરમિયાન પોલીસકર્મી અર્જુનસિંહ (ઉ.વ.32) ને અચાનક છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસ કોન્સ્ટેબલના હાર્ટએટેકથી નિધન બાદ પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો છે.વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અર્જુનસિંહ ગોમતીપુર હેડક્વાર્ટર ખાતે પરેડમાં હાજર હતા. આ દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

નિષ્ણાતોના મતે હાર્ટ એટેક આવ્યા પછી 5 મિનિટની અંદર CPR શરૂ કરી દેવો જોઈએ. આના દ્વારા ઓક્સિજન યુક્ત લોહી એટલે કે ઓક્સિજન વહન કરતું લોહી મગજના કોષો સુધી પહોંચતું રહે છે. આને કારણે, મગજના કોષો જીવિત રહે છે અને હૃદયને તેની સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે સંદેશ આપતા રહે છે. જેના કારણે હૃદયના ધબકારા ફરીથી ચાલુ થાય છે.

CPR એ જીવન સુરક્ષાનું પ્રાથમિક પગલું છે, જેની મદદથી હૃદય અને ફેફસાંને સંપૂર્ણ રીતે જીવંત રાખવામાં આવે છે. આમાં સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. કાર્ડિયાક અરેસ્ટના કિસ્સામાં, દર્દીનો પ્રતિભાવ જોવામાં આવે છે કે તે જીવિત છે કે બેભાન છે. જો તે જવાબ ન આપે તો તરત જ તબીબી મદદ લેવી જોઈએ. દર્દી હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધી તેની પલ્સ રેટ તપાસવી જોઈએ. ગળાથી પણ નાડી (કેરોટીડ પલ્સ) તપાસતા રહેવું જોઈએ. આ પલ્સ દર 10 સેકન્ડે ચેક કરવાની હોય છે. જો કેરોટીડ પલ્સ અને શ્વાસ ન મળે તો છાતીને દબાવો. આ પણ CPR નો એક ભાગ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...