Wednesday, February 11, 2026

અમદાવાદમાં લોકોને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લાખો પડાવનાર ભેજાબાજ ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના રાણીપમાં આવેલા ટ્રાન્સ ક્યુબ પ્લાઝામાં ઓફિસ શરૂ કરીને યુવકે 100 દિવસમાં 25 ટકા વળતર અને 20 મહિનાના રોકાણમાં બમણા નાણાં કરી આપવાની ખાતરી આપીને તેના સાસરીના લોકો સહિત અનેક લોકોને લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ વાડજ પોલીસ મથકે નોંધવામાં આવી છે વાડજ પોલીસે આ અંગે ગુનો નોંધીને છેતરપિંડી આચરનાર યુવકની ધરપકડ કરી છે.આરોપી છેલ્લા ઘણા સમયથી લોકો સાથે રોકાણનાં નામે છેતરપિંડી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદનાં વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, આરોપી ડેનિસ મકવાણા છેલ્લા દોઢ વર્ષથી રાણીપ વિસ્તારમાં આવેલી અર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝામાં પોતાની ફીનકેપ-24 નામની કંપનીની ઓફિસ ધરાવતો હતો. આરોપી ડેનિસ પોતાનાં સગા-સંબંધીઓ અને મિત્રોને વધુ નફો અને વળતરની લાલચ આપીને પોતાની કંપનીમાં રોકાણ કરાવતો હતો. જો કે, રોકાણ કર્યાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ ડેનિસે નફો કે મૂડી પરત ન કરી રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી. આ મામલે પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી કરી આરોપી ડેનિસ મકવાણાની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફીનકેપ-24 કંપનીનો પ્રોપરાઇટર ડેનિસ મકવાણા પોતાની કંપનીમાં રોકાણ કરવાનું કહીને સગા-સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા લેતો હતો. વોટ્સએપનાં માધ્યમથી તેની કંપનીમાં રોકાણ કરવા માટે લોકોને આકર્ષક સ્કીમો જેમ કે 6 મહિનામાં 25% અને 40 મહિનામાં રૂપિયા ડબલ કરી આપવા જેવી લાલચ આપતો હતો. આવી અલગ-અલગ 3 થી 4 જેટલી સ્કીમો પોસ્ટરનાં માધ્યમથી તેના મિત્રો અને પરિચિતોને મોકલતો હતો.

શરૂઆતનાં 3 થી 4 મહિના સુધી લોકોને રોકેલા રૂપિયા પર નફો આપતો હતો પરંતુ, ત્યાર બાદમાં વળતર કે મૂડી આપવાનું બંધ કરી દીધું હતું. અત્યાર સુધીમાં આરોપીએ 3 થી 4 લોકો પાસેથી રૂ. 24 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...