Friday, October 3, 2025

મધરાતે ભારતનો પ્રચંડ પ્રહાર, લાહોર, પેશાવરથી કરાચી સુધી, પાકિસ્તાની ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા

Share

અમદાવાદ : જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા. પાકિસ્તાનને ઇસ્લામાબાદ, લાહોર, કરાચી, સિયાલકોટ અને બહાવલપુર જેવા શહેરોને નિશાન બનાવીને આતંકવાદનો જવાબ આપવામાં આવ્યો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારોને ટાર્ગેટ કરતાં હુમલા કર્યા હતા. પાકિસ્તાન તરફથી જમ્મુમાં ઘણી જગ્યાએ હુમલા કર્યા હતા, પરંતુ ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા. ભારતે જમ્મુ, પઠાણકોટથી લઈને રાજસ્થાનના બોર્ડર વિસ્તારના જિલ્લાઓમાં બ્લેક આઉટ કરી દીધું હતું.

આ તરફ બલુચિસ્તાનમાં પણ પાકિસ્તાન સેના પર હુમલો થયો હતો. BLA એ દાવો કર્યો છે કે, તેણે બલુચિસ્તાનના મોટાભાગના ભાગો પર કબજો કરી લીધો છે. આ ઉપરાંત પાકિસ્તાન સુપર લીગ પણ શિફ્ટ કરવામાં આવી છે હવે બાકીની મેચો દુબઈમાં રમાશે. ક્વેટામાં પાકિસ્તાની સૈન્ય મથકો પર શ્રેણીબદ્ધ હુમલાઓ થયા. પાકિસ્તાની સેનાના ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલયને બંદૂકધારીઓએ નિશાન બનાવ્યું હતું. ગોળીબાર થયા અને ત્યારબાદ અનેક વિસ્ફોટ થયા.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી અને એનએસએસ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) માર્કો રુબિયો સાથે વાતચીત કરી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘8 મેની સાંજે માર્કો રુબિયો સાથે વાત થઈ છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સહકાર આપવાની અમેરિકાની પ્રતિબદ્ધતાની ખૂબ પ્રશંસા કરું છું. તેમણે સરહદ પારના આતંકવાદ સામે ભારતના લક્ષિત અને સંતુલિત પ્રતિક્રિયા પર ભાર મૂક્યો છે. ’

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...