નવી દિલ્હી : ટેરિફ મુદ્દે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીને સાથે વાત કરી હોવાનો દાવો કરી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. તેઓ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.આ વાત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યાના થોડા જ સમય બાદ કહી છે. આ જાહેરાતથી ભારત-અમેરિકા સંબંધોમાં નરમાશ આવવાનો સંકેત મળી રહ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીને સાથે વાત કરી હોવાનો દાવો કરી તેમના સત્તાવાર Truth Social પોસ્ટ કરી છે. એટલું જ નહીં પરંતુ અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડીને 25% થી ઘટાડીને 18% કર્યો હોવાનો પણ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વિગતે વાત કરીએ તો, પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા હવે ભારત સાથે ટ્રેડ લીડમાં રેસિપ્રોકલ ટેરિફ લગાવશે. જેને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. એટલે કે, હવે ભારત પર માત્ર 43 ટકા ટેરિફ રહેશે.

અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત પણ કરી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. સર્જિયો ગોરે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમણાં જ વડા પ્રધાન મોદી સાથે વાત કરી છે’. ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, અને ટૂંક સમયમાં એક સોદો થવાની અપેક્ષા છે. તેમાં અમેરિકાએ ભારત પરના ટેરિફમાં ઘટાડો કર્યો હોવાના પણ જાહેરાત કરવામાં આવી છે.
ટ્રુથ સોશિયલ પરની કરેલી પોસ્ટમાં ટ્ર્મ્પે લખ્યું કે, આજે સવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી, જેમાં બંને વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર કરાર થયો હતો. આ પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને તેમના મહાન મિત્ર અને તેમના દેશના મજબૂત અને આદરણીય નેતા ગણાવ્યા છે. આ પહેલા પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ડિસેમ્બર 2025માં વાત કરી હતી. જોકે, થોડા સમય પહેલા ગાઝા શાંતિ કરાર માટે પણ અમેરિકા પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. અહવે પીએઅ મોદી સાથે વાત કરી હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે.


