Thursday, January 15, 2026

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ ખર્ચ સહન કરવો પડશે. રાજ્યમાં PUC કઢાવવા જુદા જુદા ટુ વ્હીલરથી માંડીને ભારે વાહનોના દરમાં 10 રૂપિયાથી લઈને 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં કાર્યરત આશરે 2000 પીયુસી સેન્ટરોમાં હવે નવા દરનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા પીયુસીના દરમાં વધારો કરવા અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવાયું છે. જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર તેમજ ડીઝલ અને હેવી મોટર વાહનો માટે પીયુસીના નવા દર નક્કી કરવામાં આવ્યા છે. વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે પીયુસી સેન્ટરના સંચાલકો નિયત ફી સિવાય એક પણ રૂપિયા વધારાના વસૂલ કરી શકશે નહીં. નિયમ ભંગ થવાના કેસમાં આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ નવા દર મુજબ ટુ-વ્હીલર માટે અગાઉ 30 વસૂલવામાં આવતા હતા, જેમાં 20નો વધારો કરીને હવે 50 લેવામાં આવશે. થ્રી-વ્હીલર માટે જૂનો દર 50 હતો, જે હવે 10 વધારીને 60 કરવામાં આવ્યો છે. કાર માટે અગાઉ 80 ફી હતી, જેમાં સીધો 50નો વધારો કરીને 130 કરવામાં આવ્યા છે. જ્યારે ડીઝલ અને હેવી મોટર વાહનો માટે અગાઉ 100 વસૂલવામાં આવતા હતા, તેમાં પણ 50નો વધારો કરીને હવે 150 ફી નક્કી કરવામાં આવી છે.

વાહનવ્યવહાર વિભાગના કહેવા મુજબ, પીયુસી સેન્ટરો દ્વારા વાહનનું સર્ટિફિકેટ ઇશ્યૂ કરતી વખતે તેની તમામ વિગતો ઓનલાઇન અપલોડ કરવી ફરજિયાત છે. જોકે, ઘણા પીયુસી સેન્ટરો દ્વારા આ નિયમનું યોગ્ય રીતે પાલન થતું ન હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે. કેટલાક સેન્ટરો માત્ર સમયમર્યાદા મુજબ બિનચકાસણી સાથે ઓનલાઇન સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેતા હોવાનું અગાઉ તપાસમાં બહાર આવ્યું હતું. આ બાબતને લઈ રાજ્યના વિવિધ આરટીઓ કચેરીઓ દ્વારા સમયાંતરે પીયુસી સેન્ટરો પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને નિયમ ભંગ થવાના કેસમાં દંડ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવે છે. તેમ છતાં, કેટલાક સેન્ટરો દ્વારા હજી પણ બોગસ પીયુસી સર્ટિફિકેટ ઇશ્યૂ કરાતાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

પીયુસી સેન્ટરોના સંચાલકો દ્વારા લાંબા સમયથી ભાવ વધારો કરવાની માગ કરવામાં આવી રહી હતી. મશીનોની જાળવણી, સોફ્ટવેર ખર્ચ અને કામગીરીના ખર્ચમાં વધારો થતો હોવાની રજૂઆત ઉચ્ચ સ્તરે કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ભાવ વધારો મંજૂર કર્યો છે

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...