Saturday, June 13, 2026

અમદાવાદ સિવિલમાં એર ઈન્ડિયા દુર્ઘટનાના 260 દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ, આંસુઓથી ભીની આંખો, પ્રાર્થનાથી ભરાયેલા હૃદય…

spot_img
Share

અમદાવાદ : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ દ્વારા ઓડિટોરિયમ ખાતે ભાવવિભોર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શોક, સંવેદના અને માનવતાની લાગણીઓનું એવું દૃશ્ય સર્જાયું હતું કે ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ દ્વારા ઓડિટોરિયમ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 260 દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. સ્વજનો, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ પરિવારના સભ્યોએ દિવંગતોને યાદ કરીને પ્રાર્થના કરી હતી. સમગ્ર ઓડિટોરિયમમાં એક ગહન શાંતિ અને સંવેદનાનો માહોલ છવાઈ ગયો હતો.

કાર્યક્રમની વિશેષતા તરીકે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 260 લોકોની સ્મૃતિમાં 260 વૃક્ષો રોપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ દ્વારા દિવંગતોની યાદને જીવંત રાખવાનો અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત માનવતાના પ્રતિકરૂપે આયોજિત રક્તદાન અભિયાનમાં 325થી વધુ લોકોએ રક્તદાન કરીને દુર્ઘટનાના ભોગ બનેલા આત્માઓને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. રક્તદાતાઓએ જણાવ્યું હતું કે, જીવન બચાવતી આ સેવા દ્વારા તેઓ દુર્ઘટનાના પીડિતોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ ક્યારેય ભૂંસી શકાતું નથી, પરંતુ તેમની સ્મૃતિને સેવા, સંવેદના અને સમાજહિતના કાર્યો દ્વારા અમર બનાવી શકાય છે. વૃક્ષારોપણ અને રક્તદાન જેવા ઉપક્રમો એ જ સંદેશને આગળ ધપાવે છે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન સર્જાય તેવી કામના વ્યક્ત કરી હતી. શોક અને સંવેદનાથી ભરાયેલા આ કાર્યક્રમમાં માનવતાનો સ્પર્શ દરેક પળે અનુભવાયો હતો.

260 વૃક્ષો, 325થી વધુ રક્તદાન અને સેવાના સંકલ્પ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજે એર ઈન્ડિયા દુર્ઘટનાના 260 દિવંગત આત્માઓને અનોખી અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...