Wednesday, September 17, 2025

અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનાર સામે કાર્યવાહી, સિંધુ ભવન રોડ પર આવેલું કાફે સીલ કરાયું

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં જાહેર રોડ ઉપર ગંદકી ફેલાવતા અને કચરો નાખતા વેપારીઓ અને દુકાનદારો સામે AMC નું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ કડક કાર્યવાહી કરે છે. જેના ભાગરૂપે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સિંધુ ભવન રોડ પર આવેલું કાફે ડી ઇટાલિયો સિલ કરવામાં આવ્યું છે. કાફેનો કિચન વેસ્ટ રોડ પર નાખવા બદલ કાર્યવાહી આપવામાં આવી છે. આમ, જાહેર રસ્તા પર ગંદકી કરતાં એકમો સામે મનપાએ લાલ આંખ કરી છે.

AMC દ્વારા ફરી એકવાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. જાહેર રસ્તા પર ગંદકી કરતા એકમો સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઇ છે. શહેરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ધંધાકીય એકમ બહાર કચરો નાખનારા સામે દંડનાત્ક તેમજ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાઇ રહી છે.આ ઉપરાંત જાહેર રોડ ઉપર કચરો કરવા બદલ મણીનગરનું ગજાનંદ પૌંઆ હાઉસ, મણિનગર ઝઘડિયા બ્રિજ નીચે આવેલી લકી ટી સ્ટોલ, એલજી હોસ્પિટલ પાસે આવેલી અર્બુદા ટી સ્ટોલ, પટેલ કોર્નર અને દાણીલીમડા ચાર રસ્તા પાસે આવેલા સ્ટાર બજાર સેલ નામની દુકાન સહિત 18 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે.

AMC દ્વારા સફાઇ અભિયાન અંતર્ગત શ્રેણી બંધ પગલા લેવામાં આવી રહ્યા છે. જાહેર રસ્તા પર કચરો નાખનાર એકમ સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી ચાલી રહી છે. રાત્રી દરમિયાન ખાણી-પીણા માર્કેટ દ્વારા કચરો જાહેર રસ્તા પર નાખવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત AMC દ્વારા રેસ્ટોરન્ટ, હોટલ અને લારી-ગલ્લા પર ચાલતા ખાદ્ય એકમો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જો આગામી સમયમાં નિયમનું પાલન નહીં કરે તો એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...