Monday, April 20, 2026

તાવ-શરદી-ઉધરસમાં ડોક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક્સ લેતા હો તો થઈ જાઓ સાવધાન

spot_img
Share

અમદાવાદ : બેવડી ઋતુના કારણે તાપમાન અને હવામાનમાં ફેરફારને કારણે લોકોને તાવ, શરદી, ઉધરસ અને અન્ય સિઝનલ બીમારીઓ દર્દીઓનું પ્રમાણ વધી જાય છે.સાથે જ હોસ્પિટલની ઓપીડીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉધરસ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક પત્ર લખી જણાવ્યું છે કે, ચેપ સામાન્ય રીતે પાંચથી સાત દિવસ સુધી રહે છે. તાવ ત્રણ દિવસના અંતે જતો રહે છે, પરંતુ ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.તેમજ ઈન્ફલ્યુએન્ઝા અને અન્ય વાયરસને કારણે ઓક્ટોબરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન મોસમી શરદી અથવા ઉધરસ થવી સામાન્ય છે. મોટાભાગે તે 50 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં જોવા મળે છે. લોકોને તાવની સાથે ઉપલા શ્વસન માર્ગમાં ચેપ લાગે છે. ત્યારે માત્ર લક્ષણોની સારવાર આપો, એન્ટિબાયોટિક્સ આપવાની જરૂર નથી.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એક પત્ર લખી જણાવ્યું છે કે,એન્ટિબાયોટિક્સ સૂચવતા પહેલા ચેપ બેક્ટેરિયલ છે કે નહીં, તેનું નિદાન કરવું જરૂરી છે. વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે તકેદારી રાખવા અપીલ કરી છે.અત્યારે લોકો Azithromycin અને Amoxiclav વગેરે જેવા એન્ટિબાયોટિક્સ લેવાનું શરૂ કરે છે. કેટલા ડોઝ લેવા તેની પરવા કર્યા વિના જ દવા લે છે અને સારું થતાં બંધ કરી દે છે, ત્યારે આ સ્થિતિને રોકવાની જરૂર છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...