Monday, January 19, 2026

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરી અટકાયત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સામે આવેલી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી લીધી છે. આ લોકો બનાવટી દસ્તાવેજો બનાવીને શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.પ્રાથમિક માહિતી એવી છે કે બનાવટી દસ્તાવેજોની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. બનાવટી દસ્તાવેજ મામલે લગભગ 200 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા 50 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. આ બાંગ્લાદેશીઓ પાસેથી નકલી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેમની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આ લોકો બનાવટી અને નકલી દસ્તાવેજો બનાવીને શહેરમાં રહેતા હતા. ત્યારે હવે પોલીસે નકલી દસ્તાવેજ બનાવવાને લઈને પણ તપાસ શરૂ કરી દીધી છે.

ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા પકડાયેલા વિદેશી નાગરિકો, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતા પકડાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોના કેસો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં 200 જેટલા શકમંદોની પૂછપરછ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે અમદાવાદમાં 50 જેટલા બાંગ્લાદેશીઓ નકલી અને બનાવટી દસ્તાવેજો દ્વારા ગેરકાયદેસર રીતે રહે છે.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને આ કેસની માહિતી મળી હતી. આ બાંગ્લાદેશી નાગરિકો નકલી દસ્તાવેજો બનાવીને શહેરમાં રહે છે. નકલી દસ્તાવેજો બનાવીને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. દિવાળી પહેલા ક્રાઈમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...