Monday, November 10, 2025

સાળંગપુરધામમાં 200 કરોડના ખર્ચે નવનિર્મિત 1100 રૂમનું યાત્રિક ભવન તૈયાર, 31 ઓક્ટોબરે અમિત શાહના હસ્તે લોકાર્પણ

spot_img
Share

સાળંગપુર : સાળંગપુરધામમાં દર્શને આવતા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખી 1000 થી વધુ રૂમનું અત્યાધુનિક વિશાળ શ્રી ગોપાળાનંદસ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન પવિત્ર કાળીચૌદશના શુભ દિને સવારે 7 કલાકે પરમ પૂજ્ય આચાર્યશ્રી સકેશપ્રસાદજી મહારાજ તથા શ્રી અમિત શાહ – માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકારીતા મંત્રી અને સંપ્રદાયના વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવશે. રાજમહેલ જેવું આ યાત્રિક ભવનનું એલિવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે, જેની ડિઝાઇન 4-5 વાર બનાવ્યા પછી સંતોએ હાલની ડિઝાઇન ફાઈનલ કરી હતી. બિલ્ડિંગમાં પ્રવેશતાં જ ઇન-આઉટના બે રેમ્પ બનાવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતામાં દાદાના દરબારનું ઐતિહાસિક નજરાણું, ઇન્ડો રોમન સ્ટાઈલનું અદ્ભૂત નિર્માણ, 1000 થી વધારે રૂમ, 2500 કારનું વિશાળ પાર્કિંગ ધરાવતું 8 માળનું અત્યાધુનિક ભવન, 9,00,000 સ્કેવર ફીટથી વધારે બાંધકામ, 50,00,000 કીલો સ્ટીલનો ઉપયોગ, 2,25,000 લિટર પાણી સંગ્રહની ક્ષમતા, ગરમ પાણી માટે 9,000 લીટરનો હિટ પંપ, 42 આરઓ વોટર પોઈન્ટની સુવિધા, દરેક રુમમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી સુવિધા, ગ્રીન બીલ્ડીંગ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ, દરેક રૂમને બાલ્કની મળશે, 10 લીફટ, 6 સીડી, ફાયર સેફ્ટીની સુવિધા, રિસેપ્શન એરિયા: 12,500 સ્કવેર ફીટ, 75 ફીટ ઉંચાઈ અને 110 ફીટ પહોળાઈ , યાત્રિક ભવન લંબાઈ 611 ફીટ, પહોળાઈ 275 ફીટ, ઉંચાઈ 165 ફીટ તથા ઈન્ડિયન વેધર કન્ડિશન પ્રમાણે વિન્ડ ડિરેક્શનને ધ્યાનમાં રાખીને ભવનનું નિર્માણ કરાયું છે.

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુરધામ આયોજીત નૂતન શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ તારીખ: 31 ઓક્ટોબરના સમય: સવારે 7 કલાકે યોજવામાં આવેલ છે તેમ શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળા (સાળંગપુરધામ) એ જણાવેલ છે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ઉતારુઓની સલામતી માટે 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલાં મુખ્ય ગેટથી પ્રવેશ કરી શકાશે નહીં. અહીંના વિશાળ પાર્કિંગમાં 2500થી વધુ કાર, 1 હજારથી વધુ દ્વિચક્રી વાહનો અને 50થી વધારે બસ પાર્ક કરી શકાશે.

આ બિલ્ડિંગમાં એસી રૂમનું ભાડું રૂમ દીઠ રૂ.1500 અને નૉન એસી રૂમનું ભાડું રૂમદીઠ રૂ.800 રહેશે. જેમાં એક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ગાદલું, રજાઈ, ઓશિકું અને ખુરશી અપાશે. તો 45 સ્યુટ રૂમ દીઠ ભાડું રૂ.3 હજાર રહેશે, જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ, 1 ડબલ બેડ, ટેબલ-ખુરશી અને ફર્નિચર હશે. ઑનલાઇન બુકિંગ https://salangpurhanumanji.org/ વેબસાઇટ પરથી કરી શકાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...