Thursday, September 18, 2025

સાળંગપુરધામમાં 200 કરોડના ખર્ચે નવનિર્મિત 1100 રૂમનું યાત્રિક ભવન તૈયાર, 31 ઓક્ટોબરે અમિત શાહના હસ્તે લોકાર્પણ

Share

Share

સાળંગપુર : સાળંગપુરધામમાં દર્શને આવતા ભક્તોની સગવડને ધ્યાનમાં રાખી 1000 થી વધુ રૂમનું અત્યાધુનિક વિશાળ શ્રી ગોપાળાનંદસ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન પવિત્ર કાળીચૌદશના શુભ દિને સવારે 7 કલાકે પરમ પૂજ્ય આચાર્યશ્રી સકેશપ્રસાદજી મહારાજ તથા શ્રી અમિત શાહ – માનનીય કેન્દ્રીય ગૃહ એવં સહકારીતા મંત્રી અને સંપ્રદાયના વડીલ સંતોના વરદ્ હસ્તે કરવામાં આવશે. રાજમહેલ જેવું આ યાત્રિક ભવનનું એલિવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે, જેની ડિઝાઇન 4-5 વાર બનાવ્યા પછી સંતોએ હાલની ડિઝાઇન ફાઈનલ કરી હતી. બિલ્ડિંગમાં પ્રવેશતાં જ ઇન-આઉટના બે રેમ્પ બનાવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની વિશેષતામાં દાદાના દરબારનું ઐતિહાસિક નજરાણું, ઇન્ડો રોમન સ્ટાઈલનું અદ્ભૂત નિર્માણ, 1000 થી વધારે રૂમ, 2500 કારનું વિશાળ પાર્કિંગ ધરાવતું 8 માળનું અત્યાધુનિક ભવન, 9,00,000 સ્કેવર ફીટથી વધારે બાંધકામ, 50,00,000 કીલો સ્ટીલનો ઉપયોગ, 2,25,000 લિટર પાણી સંગ્રહની ક્ષમતા, ગરમ પાણી માટે 9,000 લીટરનો હિટ પંપ, 42 આરઓ વોટર પોઈન્ટની સુવિધા, દરેક રુમમાં સૂર્યપ્રકાશ મળી રહે તેવી સુવિધા, ગ્રીન બીલ્ડીંગ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ, દરેક રૂમને બાલ્કની મળશે, 10 લીફટ, 6 સીડી, ફાયર સેફ્ટીની સુવિધા, રિસેપ્શન એરિયા: 12,500 સ્કવેર ફીટ, 75 ફીટ ઉંચાઈ અને 110 ફીટ પહોળાઈ , યાત્રિક ભવન લંબાઈ 611 ફીટ, પહોળાઈ 275 ફીટ, ઉંચાઈ 165 ફીટ તથા ઈન્ડિયન વેધર કન્ડિશન પ્રમાણે વિન્ડ ડિરેક્શનને ધ્યાનમાં રાખીને ભવનનું નિર્માણ કરાયું છે.

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુરધામ આયોજીત નૂતન શ્રીગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન ઉદ્ઘાટન સમારોહ તારીખ: 31 ઓક્ટોબરના સમય: સવારે 7 કલાકે યોજવામાં આવેલ છે તેમ શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળા (સાળંગપુરધામ) એ જણાવેલ છે.

ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનમાં ઉતારુઓની સલામતી માટે 300થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલાં મુખ્ય ગેટથી પ્રવેશ કરી શકાશે નહીં. અહીંના વિશાળ પાર્કિંગમાં 2500થી વધુ કાર, 1 હજારથી વધુ દ્વિચક્રી વાહનો અને 50થી વધારે બસ પાર્ક કરી શકાશે.

આ બિલ્ડિંગમાં એસી રૂમનું ભાડું રૂમ દીઠ રૂ.1500 અને નૉન એસી રૂમનું ભાડું રૂમદીઠ રૂ.800 રહેશે. જેમાં એક રૂમમાં 4 સિંગલ બેડ અને એક ગાદલું, રજાઈ, ઓશિકું અને ખુરશી અપાશે. તો 45 સ્યુટ રૂમ દીઠ ભાડું રૂ.3 હજાર રહેશે, જેમાં દરેક રૂમમાં 4 સિંગલ બેડ, 1 ડબલ બેડ, ટેબલ-ખુરશી અને ફર્નિચર હશે. ઑનલાઇન બુકિંગ https://salangpurhanumanji.org/ વેબસાઇટ પરથી કરી શકાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...