33.9 C
Gujarat
Friday, October 25, 2024

ગુજરાતીઓ સાવધાન : કોરોનાએ પકડી રફ્તાર, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

Share

અમદાવાદ : કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. હોળી બાદ રાજ્યમાં ફરીવાર કોરોનાએ ઉથલો માર્યો હોય તેવી સ્થિતનું નિર્માણ થઈ રહ્યું છે, જેના પગલે તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે લાંબા સમય બાદ કોરોના વાયરસના કેસે સદી વટાવી છે. એક રિપોર્ટ મુજબ 16મી માર્ચે ગુજરાતમાં કુલ નવા 119 કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂર છે અને જો કોઈપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ.

કોરોના કેસની વિગતવાર માહિતી

અમદાવાદ કોર્પોરેશન – 62
રાજકોટ કોર્પોરેશન – 10
ભાવનગર કોર્પોરેશન – 3
સુરત કોર્પોરેશન – 10
વડોદરા કોર્પોરેશન – 4
અમરેલી – 4
આણંદ – 2
ભરૂચ – 2
ગાંધીનગર -1
ગાંધીનગર કોર્પોરેશન – 1
મહેસાણા – 9
નવસારી – 1
પોરબંદર – 1
રાજકોટ – 3
સાબરકાંઠા – 2
સુરત – 3

આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 119 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 20 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 5 દર્દીને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 435 એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles