Wednesday, September 17, 2025

ત્રિરંગા યાત્રા: પંજાબમાં આપની ભવ્ય જીત બાદ જામનગરમાં યાત્રાનું આયોજન કરાયું, દિલ્હી આપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

Share

Share

જામનગર10 મિનિટ પહેલા

કૉપી લિંકઆપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી સહિત સ્થાનિક આપના નેતાઓ યાત્રામાં જોડાયા

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતાં ગુજરાત પ્રદેશ દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા ત્રિરંગા યાત્રા ગુજરાતના જિલ્લાઓમાં કાઢવામાં આવી રહી છે ત્યારે આજ રોજ જામનગરમાં ત્રિરંગા યાત્રા પહોંચી હતી અને જામનગરના રામેશ્વરનગર ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. શહેરના ચાંદી બજાર સેન્ટ્રલ બેન્ક હવાઈ ચોક સહિતના શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા નીકળી હતી.

જામનગરમાં આજરોજ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ સહિતના આપ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા હતા. જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસન કરમુર, મહિલા પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને ત્રિરંગા યાત્રા શહેરમાં ફરી હતી.

આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે દિલ્હીની જનતા અને પંજાબની જનતાએ આમ આદમી મોકો અને ટેકો આપ્યો છે ત્યારે નવી રાજનીતિની શરૂઆત થઇ છે. ત્યારે દરેક જિલ્લા અને શહેરમાં વિધાનસભા દીઠ ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં અમે બે દિવસથી 22 જિલ્લામાં ત્રિરંગા યાત્રા પૂર્ણ કરી છે.આગામી દિવસોમાં 182 વિધાનસભા દિઠ ત્રિરંગા યાત્રા નીકળશે જેથી કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના જાગે અને ભારત શું છે ભારતનો ઇતિહાસ શું છે તે ખબર પડે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...