Friday, April 10, 2026

ત્રિરંગા યાત્રા: પંજાબમાં આપની ભવ્ય જીત બાદ જામનગરમાં યાત્રાનું આયોજન કરાયું, દિલ્હી આપના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

spot_img
Share

જામનગર10 મિનિટ પહેલા

કૉપી લિંકઆપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી સહિત સ્થાનિક આપના નેતાઓ યાત્રામાં જોડાયા

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થતાં ગુજરાત પ્રદેશ દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા ત્રિરંગા યાત્રા ગુજરાતના જિલ્લાઓમાં કાઢવામાં આવી રહી છે ત્યારે આજ રોજ જામનગરમાં ત્રિરંગા યાત્રા પહોંચી હતી અને જામનગરના રામેશ્વરનગર ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું. શહેરના ચાંદી બજાર સેન્ટ્રલ બેન્ક હવાઈ ચોક સહિતના શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા નીકળી હતી.

જામનગરમાં આજરોજ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ સહિતના આપ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા હતા. જામનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કરસન કરમુર, મહિલા પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા અને ત્રિરંગા યાત્રા શહેરમાં ફરી હતી.

આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે દિલ્હીની જનતા અને પંજાબની જનતાએ આમ આદમી મોકો અને ટેકો આપ્યો છે ત્યારે નવી રાજનીતિની શરૂઆત થઇ છે. ત્યારે દરેક જિલ્લા અને શહેરમાં વિધાનસભા દીઠ ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં અમે બે દિવસથી 22 જિલ્લામાં ત્રિરંગા યાત્રા પૂર્ણ કરી છે.આગામી દિવસોમાં 182 વિધાનસભા દિઠ ત્રિરંગા યાત્રા નીકળશે જેથી કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવના જાગે અને ભારત શું છે ભારતનો ઇતિહાસ શું છે તે ખબર પડે.

અન્ય સમાચારો પણ છે…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...