36.6 C
Gujarat
Wednesday, May 21, 2025

રળિયામણો રિવરફ્રન્ટ બન્યો સુસાઈડ પોઈન્ટ, જીવન ટૂંકાવવા ગયેલી યુવતી અને પરિણીતાના પોલીસે બચાવ્યા જીવ

Share

અમદાવાદ: શહેરની ઓળખનો એક ભાગ સાબરમતી રિવરફ્રન્ટ છે, જે ખૂબ રળિયામણો લાગે છે. પરંતુ હવે રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો છે.ત્યારે વધુ એક ઘટના બને તે પહેલા પોલીસ દેવદૂત બની પહોંચી ગઈ અને જિંદગી બચાવી લેવામાં આવી છે. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ રિવરફ્ન્ટ પરથી એક યુવતી અને એક પરિણીતાને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવવા પહોંચ્યા હતા. યુવતી સોશિયલ મીડિયા થકી યુવકના પ્રેમમાં પડી હતી. આ યુવતીને, તેના પ્રેમીએ અનફ્રેન્ડ કરતા જ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ પહોંચી અને આત્મહત્યા કરતાં બચાવી લેવામાં આવી હતી.

અમદાવાદ રિવરફ્ન્ટ પર જીવન ટૂંકાવવા આવેલી યુવતીને પોલીસે કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપી હતી. જ્યારે બીજી ઘટનામાં પરિણીતા પોતાના સંકયુક્ત કુટુંબથી કંટાળીને મોતને વ્હાલું કરવા પહોંચી હતી. નદીમાં કૂદકો માર્યો તે દરમિયાન સ્થાનિક યુવકોએ તેને બચાવી લીધી હતી

પરણીતા પોતાના પતિને અલગ રહેવા માટે વારંવાર કહેતી હતી. જો કે માતા-પિતાનો એકનો એક દીકરો પોતાના માતા પિતા સાથે રહેવા સમજાવતો હતો. આમ પતિ તેની વાત સાંભળતો ન હોવાનું લાગી આવતા પત્નીએ કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદનો રિવરફ્રન્ટ છેલ્લા ઘણા સમયથી સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. ત્યારે બીજી તરફ અમદાવાદનો CTM ડબલ ડેકર બ્રિજ પણ સુસાઈડ પોઈન્ટ બની રહ્યો છે. આ દરમિયાન પોલીસ તંત્ર અહી બંદોબસ્ત ગોઠવી રહ્યા છે. છતાં આ પ્રકારની ઘટના સામે આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles