Thursday, September 18, 2025

રળિયામણો રિવરફ્રન્ટ બન્યો સુસાઈડ પોઈન્ટ, જીવન ટૂંકાવવા ગયેલી યુવતી અને પરિણીતાના પોલીસે બચાવ્યા જીવ

Share

Share

અમદાવાદ: શહેરની ઓળખનો એક ભાગ સાબરમતી રિવરફ્રન્ટ છે, જે ખૂબ રળિયામણો લાગે છે. પરંતુ હવે રિવરફ્રન્ટ સુસાઇડ પોઇન્ટ બન્યો છે.ત્યારે વધુ એક ઘટના બને તે પહેલા પોલીસ દેવદૂત બની પહોંચી ગઈ અને જિંદગી બચાવી લેવામાં આવી છે. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ રિવરફ્ન્ટ પરથી એક યુવતી અને એક પરિણીતાને નદીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવવા પહોંચ્યા હતા. યુવતી સોશિયલ મીડિયા થકી યુવકના પ્રેમમાં પડી હતી. આ યુવતીને, તેના પ્રેમીએ અનફ્રેન્ડ કરતા જ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ પહોંચી અને આત્મહત્યા કરતાં બચાવી લેવામાં આવી હતી.

અમદાવાદ રિવરફ્ન્ટ પર જીવન ટૂંકાવવા આવેલી યુવતીને પોલીસે કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપી હતી. જ્યારે બીજી ઘટનામાં પરિણીતા પોતાના સંકયુક્ત કુટુંબથી કંટાળીને મોતને વ્હાલું કરવા પહોંચી હતી. નદીમાં કૂદકો માર્યો તે દરમિયાન સ્થાનિક યુવકોએ તેને બચાવી લીધી હતી

પરણીતા પોતાના પતિને અલગ રહેવા માટે વારંવાર કહેતી હતી. જો કે માતા-પિતાનો એકનો એક દીકરો પોતાના માતા પિતા સાથે રહેવા સમજાવતો હતો. આમ પતિ તેની વાત સાંભળતો ન હોવાનું લાગી આવતા પત્નીએ કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદનો રિવરફ્રન્ટ છેલ્લા ઘણા સમયથી સુસાઈડ પોઈન્ટ બની ગયો છે. ત્યારે બીજી તરફ અમદાવાદનો CTM ડબલ ડેકર બ્રિજ પણ સુસાઈડ પોઈન્ટ બની રહ્યો છે. આ દરમિયાન પોલીસ તંત્ર અહી બંદોબસ્ત ગોઠવી રહ્યા છે. છતાં આ પ્રકારની ઘટના સામે આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...