Wednesday, March 11, 2026

અમદાવાદના બગીચા રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રખાશે, AMTS-BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા

spot_img
Share

અમદાવાદ : AMC દ્વારા હિટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલા 283 બગીચા રાત્રિના 11 કલાક સુધી લોકો માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરમાં રેડ એલર્ટ જાહેર થાય એ સમય દરમિયાન તમામ કન્સ્ટ્રકશન સાઈટ બપોરે 12 થી 4 કલાક સુધી એસ્ટેટ વિભાગ દ્વારા બંધ રખાવાશે.

AMC દ્વારા હવામાન વિભાગ સાથે સંકલન કરી દૈનિક ધોરણે પાંચ દિવસના તાપમાન અંગે પૂર્વાનુમાન મેળવી વિવિધ માધ્યમની મદદથી લોકોને માહિતગાર કરવામા આવે છે.તમામ અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તેમજ આંગણવાડીઓ ખાતે ORS ઉપલબ્ધ કરાવાયા છે.વિવિધ વિસ્તારોમાં સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી પાંચસો પાણીની પરબ શરુ કરવામા આવી છે.

31 AMTS ડેપો ઉપરાંત BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર તરફથી કરાઈ છે.દસ લાખ જેટલા ORS પેકેટનુ વિતરણ ઉનાળાની મોસમમાં કરાશે. મ્યુનિ.હોસ્પિટલ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થસેન્ટર ખાતે ગરમીને લગતી બિમારી તેમજ હિટસ્ટ્રોકના કેસના દર્દીઓને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા તંત્રે કરી છે.આંગણવાડી સવારે 11 કલાક સુધી જયારે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત કલાક સુધી ખુલ્લા રખાશે.સફાઈ કામદારોનો સમય બપોરે ત્રણ કલાકની જગ્યાએ સાડા ચાર કલાક સુધીનો કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...