Tuesday, September 16, 2025

અમદાવાદના બગીચા રાત્રિના 11 કલાક સુધી ખુલ્લા રખાશે, AMTS-BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા

Share

Share

અમદાવાદ : AMC દ્વારા હિટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદ શહેરમાં આવેલા 283 બગીચા રાત્રિના 11 કલાક સુધી લોકો માટે ખુલ્લા રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.શહેરમાં રેડ એલર્ટ જાહેર થાય એ સમય દરમિયાન તમામ કન્સ્ટ્રકશન સાઈટ બપોરે 12 થી 4 કલાક સુધી એસ્ટેટ વિભાગ દ્વારા બંધ રખાવાશે.

AMC દ્વારા હવામાન વિભાગ સાથે સંકલન કરી દૈનિક ધોરણે પાંચ દિવસના તાપમાન અંગે પૂર્વાનુમાન મેળવી વિવિધ માધ્યમની મદદથી લોકોને માહિતગાર કરવામા આવે છે.તમામ અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે તેમજ આંગણવાડીઓ ખાતે ORS ઉપલબ્ધ કરાવાયા છે.વિવિધ વિસ્તારોમાં સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગથી પાંચસો પાણીની પરબ શરુ કરવામા આવી છે.

31 AMTS ડેપો ઉપરાંત BRTS બસશેલ્ટર ઉપર પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર તરફથી કરાઈ છે.દસ લાખ જેટલા ORS પેકેટનુ વિતરણ ઉનાળાની મોસમમાં કરાશે. મ્યુનિ.હોસ્પિટલ ઉપરાંત કોમ્યુનિટી હેલ્થસેન્ટર ખાતે ગરમીને લગતી બિમારી તેમજ હિટસ્ટ્રોકના કેસના દર્દીઓને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા તંત્રે કરી છે.આંગણવાડી સવારે 11 કલાક સુધી જયારે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત કલાક સુધી ખુલ્લા રખાશે.સફાઈ કામદારોનો સમય બપોરે ત્રણ કલાકની જગ્યાએ સાડા ચાર કલાક સુધીનો કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...