Thursday, March 12, 2026

AMC દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો, આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યાર્થીઓ આવ્યા

spot_img
Share

અમદાવાદ : આજે સવારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના મેયર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામા કરવામાં આવ્યુ હતું. પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યાર્થીઓ આવતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેર મેયર દ્વારા ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. અમદાવાદના મેયર કિરીટ પરમાર ધોરણ 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાના હતા. પરંતું અમદાવાદ શહેરનું પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં પહોંચ્યા જ ન હતા. ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, અને AMC ના મોટા હોદ્દેદારો હાજર દેખાયા હતા. માત્ર 15-20 જ વિદ્યાર્થીઓ આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.

દર વર્ષે AMC દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં શિક્ષણ વિભાગને સાથે રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્કૂલ વચ્ચે સંકલનના અભાવને કારણે વિદ્યાર્થીઓને મોડા જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને મોડા જાણ થતાં 11 વાગ્યાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોડા આવ્યા હતા. વિદ્યાર્થીઓ મોડા આવતા પદાધિકારીઓ ત્યાંથી માત્ર 15-20 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરીને પરત જતા રહ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...