Thursday, January 22, 2026

CM પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞ

spot_img
Share

અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટોક આવતા વધુ સારવાર અર્થે મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે લઇ જવાયા છે. અમદાવાદમાં કેડી હોસ્પિટલ ખાતે સારવાર બાદ મુંબઇ એર એબ્યુલન્સ મારફતે શિફ્ટ કરાયા હતા. અનુજ પટેલના ઝડપી સારા સ્વાસ્થ્ય માટે શહેરના વિવિધ મંદિરોમાં પાર્થનાઓ શરૂ કરવામાં આવી છે. આજરોજ ખાનુપર ખાતે આવેલ ભાજપના શહેર કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞનું કરવામાં આવ્યું હતું.

આજે બપોરે ખાનુપર ખાતે આવેલ ભાજપના શહેર કાર્યાલય ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને નિરામય આરોગ્ય માટે વિદ્વાન બ્રહ્માણો ઉપસ્થતિમાં વેદમાતા ગાયત્રીના મંત્ર-અનુષ્ઠાન-યજ્ઞનું કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના મેયર કિરીટ પરમાર, ડે મેયર, સંસદસભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય જીતુભાઇ ભગત, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન, નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ સહીત મોટી સંખ્યામાં સંગઠનની ટીમના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

આ અગાઉ શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા પારમેશ્વર મંદિર ખાતે મહાદેવના સાન્નિધ્યમાં વિદ્વાન બ્રહ્માણો દ્વારા સવા લાખ મહામૃત્ય જાપ અને બિજ મંત્ર સાથે અનુષ્ઠાન શરૂ કરાયું હતું. મહાદેવના આર્શિવાદથી અનુજ પટેલ ઝડપથી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે. આજે શાહીબાગ ખાતે સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ અને સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...