Thursday, March 5, 2026

સેટેલાઈટમાં ચોરીની ઘટનાઓ વધતા પોલીસની કામગીરી વિરુદ્ધ લાગ્યા બેનરો, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં દિવસે દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે. ખાસ કરીને સેટેલાઇટ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે ચોરીના બનાવમાં કોઈ કાર્યવાહી નહીં થતાં અમદાવાદની સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યા છે. સેટેલાઈટ વિસ્તારમાં વ્રજવિહાર 5 અને રત્નદીપ કોમ્પલેક્ષમાં સ્થાનિકોએ બેનર લગાવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર કાગળ પર બેનરમાં ઉલ્લેખ કરાયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેટેલાઇટ વિસ્તારમાં છ મહિનામાં આઠ દુકાનોના તાળા તૂટવામાં કોઈ કાર્યવાહી નહીં થતાં સ્થાનિકો પોલીસની કામગીરીથી નારાજ છે. પોલીસે કામગીરી નહીં કરતા ચોરને મોકળું મેદાન મળ્યું હોવાના આરોપ ઉઠયા છે. ક્યાંક રોકડ રકમની ચોરી તો ક્યાંક દુકાનોમાં રહેલી વસ્તુઓની ચોરી થઈ હતી. અનેક રજૂઆત છતાં ચોર ટોળકી નહીં પકડાતા સ્થાનિકોએ સેટેલાઈટ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો. સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે ચોરીના બનાવ વધ્યા હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા.

વેપારીઓ દ્વારા કોમ્પલેક્સમાં લગાડવામાં આવેલા બેનરમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘વ્રજવિહાર-5 અને 6 કોમ્પલેક્સ બ્રેકિંગ…. વ્રજ વિહાર કોમ્પલેક્સ 5 અને 6 પ્રેરણા તીર્થ દેરાસર રોડ, ગ્લોરિયા રેસ્ટોરન્ટની સામેના દુકાનદાર ભયભીત, સેટેલાઈટ વિસ્તારમાં ચોર બન્યા બેફામ.. એક જ મહિનામાં વ્રજ વિહાર-5 અને 6 કોમ્પલેક્સમાં 5થી 6 દુકાનના 2 વાર તાળા તૂટ્યા તેની પોલીસ ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કરેલી છે, તેમ છતાં કોઈ ઉપયુક્ત પગલાં લેવામાં આવ્યા નથી. પોલીસ પેટ્રોલિંગની વાતો માત્ર પોકળ..’

કોમ્પલેક્સમાં આવેલી દુકાનોના તમામ વેપારીઓનું કહેવું છે કે, પોલીસ તેમની ફરિયાદને સહેજપણ ગંભીરતાથી લેતી નથી. તેમના જણાવ્યા અનુસાર પોલીસ વારંવાર તેઓેને પોલીસ સ્ટેશન આવીને કલાકો સુધી બેસાડીને રાખે છે અને સમય બરબાદ કરે છે. આ વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરનારા ચોર દિવસેને દિવસે વધી વધુ હિંમતવાળા બની રહ્યા છે અને તેમને કોઈનો ડર રહ્યો નથી. આ સ્થિતિમાં તેમની દુકાનોમાં વધુ ચોરી થવાનું જોખમ વધ્યું છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

બેનર લાગ્યાની જાણ થતાં સ્થાનિક પોલીસ વ્રજ વિહાર કોમ્પલેક્સમાં પહોંચી હતી અને વેપારીઓની રજૂઆત સાંભળીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પોલીસે મીડિયાને જણાવ્યા અનુસાર સીસીટીવીના આધારે અને વેપારીઓની ફરિયાદ લઈને ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...