અમદાવાદ: ગત રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ મુંબઈની પી ડી હિંદુજા હોસ્પિટલમાં દાખલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયતને લઈને સારા સમાચાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર સર્જરી બાદ અનુજ પટેલ ભાનમાં આવી ગયા છે. રાહતની વાત એ છે કે, તેઓ હાથ-પગની મૂવમેન્ટ પણ કરી શકે છે. આમ અનુજ પટેલની તબિયતમાં સુધારો થતાં ડોક્ટર્સ અને મુખ્યમંત્રી પટેલ સહિત પરિવારજનોએ ઘણી રાહત મળી છે.
રિપોર્ટ અનુસાર સર્જરી બાદ અનુજ પટેલ હવે ભાનમાં આવ્યા છે અને તેઓ હાથ-પગથી હલાવીને મુવમેન્ટ કરી શકે છે. તબિયતમાં સુધારો આવ્યો હોવા છતાંય અનુજ પટેલ કાર્ડિયોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટની સતત દેખરેખ હેઠળ છે. ડોક્ટર્સ મુજબ હજુ તેમને લાંબા સમય સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવા પડી શકે છે. જોકે ઓછા સમયમાં અનુજ પટેલની તબિયતમાં સારો સુધારો થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.
બીજી તરફ મુખ્યમંત્રી પણ ગઈકાલે મુંબઈથી ગુજરાત પરત આવ્યા હતા. હવે પોતાના રૂટિન કામ તરફ પાછા વળ્યા છે અને આજે તેઓ કેબિનેટ મીટિંગમાં ભાગ લઇ શકે છે.


