Saturday, January 17, 2026

સરદાર પટેલ રિંગ રોડ પર ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુકાનમાં ઘૂસી ગયું

spot_img
Share

અમદાવાદ : આજે વહેલી સવારે સરદાર પટેલ રિંગ રોડ પરઅકસ્માત થયો હતો. ડમ્પર ચાલકે ઓવર સ્પીડના કારણે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે રસ્તા પર આવેલી દુકાનમાં ડમ્પર ઘૂસી ગયું હતું. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વસ્ત્રાલ રિંગ રોડ ઓર RFA કેમ્પની સામે વહેલી સવારે 7 વાગે એક ડમ્પર પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું. ત્યારે ઓવર સ્પીડથી ચાલી રહેલા ડમ્પર પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. ડમ્પર સીધું રસ્તાની બાજુમાં આવેલી લારી સાથે અથડાયું અને દુકાનમાં ઘૂસી ગયું હતું. જેના કારણે દુકાનના પતરા તૂટ્યા અને દુકાનનું નુકસાન થયું હતું.

આ અકસ્માત દરમિયાન ડમ્પરચાલક ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સવારનો સમય હોવાથી લોકોની અવજવર ખૂબ ઓછી હતી. જેના કારણે અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી કરી હતી. JCB વડે ડમ્પર બહાર કાઢવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...