Friday, January 16, 2026

અમદાવાદમાં લૂ-હિટ સ્ટ્રોક, બેભાનની સૌથી વધુ ફરિયાદ, ગરમીનો પારો વધતાં 108ને મળતાં કોલમાં થયો વધારો

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો વધતા 108ને મળતાં કોલમાં વધારો થયો છે.એક રિપોર્ટ મુજબ છેલ્લા બે સપ્તાહમાં ગુજરાતમાં 14 ટકા અને અમદાવાદમાં 21 ટકા વધુ કોલ મળ્યા છે. બેભાન થવાના, લુ લાગવાના અને હિટ સ્ટ્રોક લાગવાની વ્યાપક ફરિયાદો 108ને મળી છે. બે સપ્તાહ અગાઉ ગુજરાતભરમાંથી ગરમીને લગતા 1400 જેટલા કોલ મળ્યા હતા, જે ગત સપ્તાહે 1500ને પાર થયા છે. આ જ રીતે બે સપ્તાહ અગાઉ અમદાવાદમાં 2100 જેટલા કોલ મળ્યા જે ગત સપ્તાહમાં 2300 ને પાર પહોંચ્યા છે.

સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણમાં વધારો થતા પેટમાં દુખાવો, વધુ પડતો તાવ, માથાનો દુખાવો, બેભાન થવાના અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં હિટ સ્ટ્રોકના 36 કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં જ 29 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં ગરમીને લઈ 108 ઈમરજન્સીમાં પેટમાં દુઃખાવો, વધુ પડતો તાવ અને ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે.

ગુજરાત અને એમાંય ખાસ કરીને અમદાવાદમાં જાણે આકાશમાંથી અગનજ્વાળા વરસી રહી છે. છેલ્લાં બે દિવસ દરમ્યાન રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.કંડલા,સુરેન્દ્રનગર,ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના કુલ 13 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ તાપમાનનો પારો નીચે જશે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થયા છે.

108 ઇમરજન્સી સેવાના જણાવ્યા મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિને વધારે પડતી ગરમી, બેભાન થવું કે લુ લાગે તો 108 ઈમરજન્સી સેવાને જાણ કરે જેનાથી તાત્કાલિક ધોરણે તે વ્યક્તિને સારવાર મળી રહે છે. ઘણા કિસ્સામાં લોકો ખાનગી વાહનમાં તેને હોસ્પિટલ પહોંચાડતા હોય છે પરંતુ 108 ઈમરજન્સીની મદદ લેશે તો તેઓને તરત જ ત્યાં ટ્રીટમેન્ટ મળી રહે છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ગરમીને ધ્યાનમાં રાખી જો ગરમીના રોગો ને લગતા કેસો આવે તો તેઓને કઈ રીતે સારવાર આપવી વગેરે અંગેની તાલીમ પણ આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...