29.3 C
Gujarat
Monday, October 28, 2024

ન્યુ રાણીપમાં કમુબા પાર્ટી પ્લોટ ખાતે પોલીસ અને પ્રજાના સમન્વયનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Share

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ ખાતે આવેલ કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સંબંધ કેવી રીતે સૌહાર્દપૂર્ણ બની રહે તે અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારના મ્યુ કાઉન્સીલરો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનીક આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સાયબર ક્રાઇમ માફીઆઓ કેવી રીતે અપરાધિક પ્રવૃત્તિઓને અંજામ આપે છે તે અંગેની વાત કરીને સાયબર ક્રાઇમ થી કઈ રીતે બચી શકાય તેમ જ ખાસ કરીને મહિલાઓ સાથે ઓનલાઈન ખરીદીમાં કરવામાં આવતી છેતરપિંડી અંગે જાગૃતતા લાવવા પર સાયબર ક્રાઇમ એક્સપર્ટ તેમજ નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ એક્સપર્ટે સાઇબર ક્રાઇમ કઈ રીતે કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી પીરસાઈ હતી, તેમજ નાયબ પોલીસ કમિશનરે આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન મહત્વનું સાધન બની ગયો છે ત્યારે ફોન દ્વારા કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરમાં પ્રવેશ કરવા ન દેવો તેવી સમજણ આપી હતી. પોલીસ કમિશનર નીરજ બડગુજરે અન્ય અપરાધોની સરખામણીમાં સાયબર અપરાધોમાં વધારો થયો હોવાનું કહી રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સહિત પોલીસ વિભાગ કઈ રીતે સાયબર ક્રાઇમને અટકાવવા પ્રયાસો કરી રહ્યા છે તે અંગેની વિશે જાણકારી ઉપસ્થિત પ્રજાજનોને આપી હતી.

કાર્યક્રમમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમા બનેલી ચોરી, લૂંટ સહિતની ઘટનામાં ફરિયાદ કરનાર ફરિયાદીઓએ ઉપસ્થિત રહીને સાબરમતી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ એન પટેલે ત્વરિત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ ગુનાને અંજામ આપનાર તત્વોને પકડી પાડીને કરેલી પ્રશંસનીય કામગીરી ખુદ ફરિયાદીઓએ જનતા સમક્ષ મૂકીને સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ જનતાની સેવા માટે કેટલાક પ્રમાણમાં તત્પર છે તેનું ‘પ્રમાણપત્ર આપ્યું હતું. પોલીસની પ્રશંસનીય કામગીરીની વિગતો ખુદ ફરિયાદીઓના મુખેથી સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાજ્ય સરકાર ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી દેવા માટે કઈ રીતે કામગીરી કરે છે તેની વિગતો જનતા સમક્ષ મૂકી હતી. એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું હતું કે કેટ કેટલાય પડકારો ઝીલીને પોલીસના જવાનો જનતાની સુરક્ષા માટે રાત દિવસ જોયા વગર તમામ પડકારોનો સામનો કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જે માટે તેઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાબરમતી પોલીસ મથકના પીઆઇનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, મ્યુ કાઉન્સિલરો દશરથ પટેલ, વિરલ વ્યાસ,અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ, એલ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ડી વી રાણા, PSI ઉર્વશીબેન કે પંડ્યા, PSI આઇ કે મોથલીયા, PSI એચ જી દેવમણી, ASI એ જે પ્રજાપતિ સાથે સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખેડાના મ્યુ કાઉન્સિલરો સહીત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન RJ મેઘા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનનાર જનતા તેમજ આયોજકોનો આભાર માન્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles