Friday, January 16, 2026

ન્યુ રાણીપમાં કમુબા પાર્ટી પ્લોટ ખાતે પોલીસ અને પ્રજાના સમન્વયનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ ખાતે આવેલ કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સંબંધ કેવી રીતે સૌહાર્દપૂર્ણ બની રહે તે અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારના મ્યુ કાઉન્સીલરો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનીક આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સાયબર ક્રાઇમ માફીઆઓ કેવી રીતે અપરાધિક પ્રવૃત્તિઓને અંજામ આપે છે તે અંગેની વાત કરીને સાયબર ક્રાઇમ થી કઈ રીતે બચી શકાય તેમ જ ખાસ કરીને મહિલાઓ સાથે ઓનલાઈન ખરીદીમાં કરવામાં આવતી છેતરપિંડી અંગે જાગૃતતા લાવવા પર સાયબર ક્રાઇમ એક્સપર્ટ તેમજ નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ એક્સપર્ટે સાઇબર ક્રાઇમ કઈ રીતે કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી પીરસાઈ હતી, તેમજ નાયબ પોલીસ કમિશનરે આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન મહત્વનું સાધન બની ગયો છે ત્યારે ફોન દ્વારા કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરમાં પ્રવેશ કરવા ન દેવો તેવી સમજણ આપી હતી. પોલીસ કમિશનર નીરજ બડગુજરે અન્ય અપરાધોની સરખામણીમાં સાયબર અપરાધોમાં વધારો થયો હોવાનું કહી રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સહિત પોલીસ વિભાગ કઈ રીતે સાયબર ક્રાઇમને અટકાવવા પ્રયાસો કરી રહ્યા છે તે અંગેની વિશે જાણકારી ઉપસ્થિત પ્રજાજનોને આપી હતી.

કાર્યક્રમમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમા બનેલી ચોરી, લૂંટ સહિતની ઘટનામાં ફરિયાદ કરનાર ફરિયાદીઓએ ઉપસ્થિત રહીને સાબરમતી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ એન પટેલે ત્વરિત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ ગુનાને અંજામ આપનાર તત્વોને પકડી પાડીને કરેલી પ્રશંસનીય કામગીરી ખુદ ફરિયાદીઓએ જનતા સમક્ષ મૂકીને સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ જનતાની સેવા માટે કેટલાક પ્રમાણમાં તત્પર છે તેનું ‘પ્રમાણપત્ર આપ્યું હતું. પોલીસની પ્રશંસનીય કામગીરીની વિગતો ખુદ ફરિયાદીઓના મુખેથી સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાજ્ય સરકાર ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી દેવા માટે કઈ રીતે કામગીરી કરે છે તેની વિગતો જનતા સમક્ષ મૂકી હતી. એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું હતું કે કેટ કેટલાય પડકારો ઝીલીને પોલીસના જવાનો જનતાની સુરક્ષા માટે રાત દિવસ જોયા વગર તમામ પડકારોનો સામનો કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જે માટે તેઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાબરમતી પોલીસ મથકના પીઆઇનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, મ્યુ કાઉન્સિલરો દશરથ પટેલ, વિરલ વ્યાસ,અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ, એલ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ડી વી રાણા, PSI ઉર્વશીબેન કે પંડ્યા, PSI આઇ કે મોથલીયા, PSI એચ જી દેવમણી, ASI એ જે પ્રજાપતિ સાથે સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખેડાના મ્યુ કાઉન્સિલરો સહીત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન RJ મેઘા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનનાર જનતા તેમજ આયોજકોનો આભાર માન્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...