Saturday, March 14, 2026

ન્યુ રાણીપમાં કમુબા પાર્ટી પ્લોટ ખાતે પોલીસ અને પ્રજાના સમન્વયનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

spot_img
Share

અમદાવાદ : શહેરના ન્યુ રાણીપ ખાતે આવેલ કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચેનો સંબંધ કેવી રીતે સૌહાર્દપૂર્ણ બની રહે તે અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય, ન્યુ રાણીપ, રાણીપ, ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારના મ્યુ કાઉન્સીલરો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનીક આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા કમુબા પાર્ટી પ્લોટમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઈ રહે તે હેતુથી એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સાયબર ક્રાઇમ માફીઆઓ કેવી રીતે અપરાધિક પ્રવૃત્તિઓને અંજામ આપે છે તે અંગેની વાત કરીને સાયબર ક્રાઇમ થી કઈ રીતે બચી શકાય તેમ જ ખાસ કરીને મહિલાઓ સાથે ઓનલાઈન ખરીદીમાં કરવામાં આવતી છેતરપિંડી અંગે જાગૃતતા લાવવા પર સાયબર ક્રાઇમ એક્સપર્ટ તેમજ નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ એક્સપર્ટે સાઇબર ક્રાઇમ કઈ રીતે કરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી પીરસાઈ હતી, તેમજ નાયબ પોલીસ કમિશનરે આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન મહત્વનું સાધન બની ગયો છે ત્યારે ફોન દ્વારા કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરમાં પ્રવેશ કરવા ન દેવો તેવી સમજણ આપી હતી. પોલીસ કમિશનર નીરજ બડગુજરે અન્ય અપરાધોની સરખામણીમાં સાયબર અપરાધોમાં વધારો થયો હોવાનું કહી રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સહિત પોલીસ વિભાગ કઈ રીતે સાયબર ક્રાઇમને અટકાવવા પ્રયાસો કરી રહ્યા છે તે અંગેની વિશે જાણકારી ઉપસ્થિત પ્રજાજનોને આપી હતી.

કાર્યક્રમમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમા બનેલી ચોરી, લૂંટ સહિતની ઘટનામાં ફરિયાદ કરનાર ફરિયાદીઓએ ઉપસ્થિત રહીને સાબરમતી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ એન પટેલે ત્વરિત કામગીરી કરી ગણતરીના કલાકોમાં જ ગુનાને અંજામ આપનાર તત્વોને પકડી પાડીને કરેલી પ્રશંસનીય કામગીરી ખુદ ફરિયાદીઓએ જનતા સમક્ષ મૂકીને સાબરમતી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ જનતાની સેવા માટે કેટલાક પ્રમાણમાં તત્પર છે તેનું ‘પ્રમાણપત્ર આપ્યું હતું. પોલીસની પ્રશંસનીય કામગીરીની વિગતો ખુદ ફરિયાદીઓના મુખેથી સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રાજ્ય સરકાર ગુનાહિત પ્રવૃત્તિઓને ડામી દેવા માટે કઈ રીતે કામગીરી કરે છે તેની વિગતો જનતા સમક્ષ મૂકી હતી. એટલું જ નહીં તેઓએ એમ પણ કહ્યું હતું કે કેટ કેટલાય પડકારો ઝીલીને પોલીસના જવાનો જનતાની સુરક્ષા માટે રાત દિવસ જોયા વગર તમામ પડકારોનો સામનો કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. જે માટે તેઓએ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ સાબરમતી પોલીસ મથકના પીઆઇનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, મ્યુ કાઉન્સિલરો દશરથ પટેલ, વિરલ વ્યાસ,અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, નાયબ પોલીસ કમિશનર સુશીલ અગ્રવાલ, એલ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ડી વી રાણા, PSI ઉર્વશીબેન કે પંડ્યા, PSI આઇ કે મોથલીયા, PSI એચ જી દેવમણી, ASI એ જે પ્રજાપતિ સાથે સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા અને ચાંદખેડાના મ્યુ કાઉન્સિલરો સહીત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન RJ મેઘા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બનનાર જનતા તેમજ આયોજકોનો આભાર માન્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...