Tuesday, January 20, 2026

છેલ્લા બોલે ગુજરાતને 5 વિકેટે હરાવી CSKએ પાંચમી વખત જીતી IPL ટ્રોફી

spot_img
Share

અમદાવાદ : IPL 2023ની ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની CSKએ રોમાંચક મેચમાં છેલ્લા બોલે GT ને પાંચ વિકેટે પરાજય આપી પાંચમી વખત IPL ટ્રોફી જીતી છે. આ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની સેના પાંચમી વખત IPLની ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન ફટકાર્યા હતા. જ્યારે CSKની ઈનિંગ શરૂ થઈ તો ત્રણ બોલ બાદ વરસાદ આવ્યો હતો. ત્યારબાદ CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં CSKની ટીમે 15 ઓવરમાં 171 રન બનાવી પાંચમી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી હતી.

સોમવારે રાત્રે ફરી એક વાર વરસાદ પડતાં IPLની ફાઇનલ મેચ થોભાવવી પડી હતી. નરેન્દ્ર મોડી સ્ટેડિયમ વિસ્તારમાં પણ ભારે વરસાદ શરુ થતાં મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું. જો કે વરસાદ રોકાતા અને મેદાન સુકાઇ જતાં રાત્રે 12.10 કલાકે ફરી મેચ શરુ થઇ હતી. CSKને 15 ઓવરમાં 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. CSKના બેટ્સમેનોએ શરુઆતમાં ફટકાબાજી શરુ કરી હતી. જો કે તબક્કાવાર વિકેટો પડવા લાંગી હતી. કપ્તાન ધોની પણ ફાઇલ મેચમાં ચાલ્યા ન હતા. મોહિત શર્માની બોલિંગમાં તે કેચ આઉટ થઇ ગયા હતા.

એક સમયે એવું લાગતું હતું કે CSK મેચ જીતી શકે છે પણ ત્યારબાદ વિકેટો પડતાં ગુજરાત ટાઇટનનું પલડું ભારે થઇ ગયું હતું. મોહિત શર્માએ ઉપરા ઉપરી 2 વિકેટો ઝડપી હતી. આખરી ઓવરોમાં મોહિત શર્માએ સુંદર બોલિંગ કરી હતી. મોહિત શર્માના યોર્કરના કારણે બેટ્સમેનો પર અંકુશ આવતાં છેલ્લે મેચ રોમાંચક અને દિલધડક બની રહી હતી.

CSKને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટ્રોફી જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...