29.3 C
Gujarat
Monday, October 28, 2024

CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી દ્વારા કરાયું સન્માન

Share

અમદાવાદ : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વહેલી સવારે CM ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોંચ્યા હતા. મુખ્યપ્રધાને મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કરી આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ભગવાન જગન્નાથનો ફોટો આપી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રમાં ભાજપ સરકારના નવ વર્ષ પૂર્ણ થતા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત લઈ અને મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીને નવ વર્ષ પૂર્ણ થયાની પુસ્તિકા આપી હતી.

અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસ સંપૂર્ણ સજ્જ છે. સુરક્ષામાં કોઈપણ કચાશ બાકી ન રહે તે માટે પોલીસે વ્યાપક પ્રમાણમાં તૈયારી શરૂ કરી છે. રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું છે. યાત્રાના રૂટ પર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. ફૂટ પેટ્રોલિંગ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર પોલીસની બાજ નજર છે.

અમદાવાદમાં આગામી 20 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જેમાં આ વખતે પ્રથમ વાર સુરક્ષા બંદોબસ્ત જાળવવા માટે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ થશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles