Wednesday, January 21, 2026

AMCના આરોગ્ય વિભાગની કાર્યવાહી, ફેમસ KFC રેસ્ટોરન્ટને આ કારણથી સીલ કરાઈ, જાણો ?

spot_img
Share

અમદાવાદ: AMCના હેલ્થ વિભાગ દ્વારા સૌથી ફેમસ KFC રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે. KFCમાં અપાતા પાણીમાં કોલીફોર્મ તથા ફિકલ ઈકોલાઇ બેક્ટેરીયાનું પ્રમાણ વધારે માત્રામાં આવતા પાણીનું સેમ્પલ અનફિટ આવેલ છે. જે અંતર્ગત AMC ઉત્તર પશ્ચિમ ઝોન આરોગ્ય વિભાગ દ્વારા KFC રેસ્ટોરન્ટ સીલ કરી દેવામાં આવી છે. આ ફરિયાદ AMC CCRS એપના માધ્યમથી મળી હતી અને AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

એક જાગૃત નાગરિક દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આલ્ફા વન મોલમાં આવેલી KFC રેસ્ટોરાંમાં ખરાબ જમવાનું અને પાણી મળતું હોવાની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન CCRS સિસ્ટમ કરવામાં આવી હતી. તેના ભાગરૂપે 29 મેના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ફૂડ અને પાણીનું સેમ્પલ લઇ અને સેન્ટ્રલ લેબોરેટરીમાં મોકલ્યું હતું. જેમાં પાણીમાં કોલીફોર્મ અને ફિકલ ઇકોલાઈ બેક્ટેરિયાનું પ્રમાણ વધારે આવ્યું હતું. જેથી સેમ્પલ અનફીટ આવતા આજે આ હોટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

AMCના આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ પણ ફુડ સેફ્ટી અને આરોગ્ય મુદે સઘન તપાસ શહેરના અલગ અલગ ઝોનમાં ચાલી રહી છે. ઉનાળા સિઝન અને વરસાદી માહોલ વચ્ચે સઘન તપાસ હાથ ધરવામા આવી છે. પરંતુ જાગૃત નાગરિકો દ્વારા પણ આ પ્રકારની ફરિયાદ એેએમસી કરવામાં આવશે તો વધુ સઘન તપાસ AMC કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...