Wednesday, January 21, 2026

શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ બન્યા, પ્રમુખ બનાવવા પાછળના કારણો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં મરણપથારીએ પડેલી ગુજરાતની ફરી સજીવન કરવા માટે દિલ્હી હાઈકમાને રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના આખા બોલા નેતા શક્તિસિંહ ગોહિલને પ્રદશ અધ્યક્ષ બનાવી એક કાંકરે અનેક પક્ષી માર્યા છે. કોંગ્રેસમાં વર્ષોથી અડિંગો જમાવીને બેઠેલા નેતાઓને આ સ્પષ્ટ સંકેત આપી દેવાયો છે કે ગુજરાતના રાજકારણમાં હવે એમનાં વળતાં પાણી છે. શક્તિસિંહ ગોહિલ અત્યારસુધી દિલ્હી અને હરિયાણાના પ્રભારી હતા. જે જવાબદારી હવે દીપક બાબરિયા સંભાળશે. શક્તિસિંહ ગોહિલની ગણના રાહુલ ગાંધીના ખાસ નજીકના નેતા તરીકે થાય છે. ગુજરાતમાં કોંગ્રેસે સૌથી બોલ્ડ નિર્ણય લીધો છે. જેને પગલે ભાજપને પણ ટેન્શન આવશે.

શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનવાના કારણો શું હોઈ શકે
કોંગ્રેસના રાજ્યસભાના સંસદ
કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે અતિ નિકટના સબંધ
સંગઠન ઉપર સારી પકડ અને સ્પષ્ટ વક્તા
કોંગ્રેસની સરકારમાં માજી મંત્રી અને નેતા વિપક્ષ પણ રહી ચુક્યા છે
2 વાર પ્રધાન, 2 રાજ્યોના પ્રભારી અને સફળ રાજકીય રણનીતિકાર છે શક્તિસિંહ ગોહિલ 34 વર્ષથી રાજકારણમાં
ભાજપને ટેન્શન અપાવે એવો નેતા

શક્તિસિંહ ગોહિલનો જન્મ 4 એપ્રિલ 1960માં ભાવનગર જિલ્લાના લિમડા ગામમાં થયો હતો. ગુજરાત પ્રદેશ કોગ્રેસના નવા પ્રમુખના અભ્યાસ વિશે વાત કરીએ તો તેઓએ બીએસસી, એલએલએમ, કોમ્પ્યૂટરમાં ડિપ્લોમા અને પત્રકારત્વમાં પણ ડિપ્લોમાં કર્યું છે.જેઓ હાલમાં રાજ્યસભાના સંસદ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા છે. શક્તિસિંહે 1991થી 1995 દરમિયાન સતત બે વખત ગુજરાત સરકારમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. તે ગુજરાત વિધાનસભામાં 2007થી 2012 સુધીમાં વિપક્ષી નેતા તરીકે કામ કર્યું હતું. તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે તેમજ AICCના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. 1991 થી 1995 દરમિયાન સરકારના વિવિધ વિભાગ સંભાળ્યા હતા તેમજ નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા વિભાગના મંત્રી તરીકે રહી ચુક્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...