29.3 C
Gujarat
Monday, October 28, 2024

અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા સો વખત વિચારજો ! ફેમસ રેસ્ટોરન્ટના સંભારમાંથી વંદો નીકળ્યો

Share

અમદાવાદ : અમદાવાદમાં અવારનવાર હોટેલ કે રેસ્ટોરન્ટના જમવામાં વંદો કે ગરોળી કે અન્ય જીવજંતુઓ આવ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે ફરી એક વાર શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સમાં ઢોંસાના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ઢોંસા સાથે સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. જે બાદ ગ્રાહકે સમગ્ર વિગતો ટ્વીટ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. તો બીજી તરફ ગ્વાલિયા તરફથી યુવકની લેખિતમાં માફી માગવામાં આવી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ, રથયાત્રાના દિવસે ઘાટલોડિયાનો જીગર વાઘવાણી નામનો યુવક પરિવાર સાથે થલતેજની ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો. જ્યાં પરિવારે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કર્યા હતા. ઢોંસાની સાથે ચટણી અને સંભાર આપવામાં આવ્યા હતા, જેમાં સંભારમાં વંદો નીકળ્યો હતો. સંભારમાંથી વંદો નીકળતા યુવક દ્વારા સ્ટાફને બોલાવીને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ ગ્વાલિયા તરફથી સંભાર પાછો લઈ લીધો હતો. તો યુવકે લેખિતમાં ભૂલ સ્વીકારવાની માગણી કરી હતી. જેમાં ગ્વાલિયા સ્વીટ્સ દ્વારા ઈ-મેઈલથી યુવકની માફી માગવામાં આવી હતી.

સમગ્ર મામલે જીગરે ટ્વીટ કરીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. સાથે જ ગ્વાલિયા દ્વારા ભૂલ સ્વીકારીને માગવામાં આવેલી માફીનો ઈ-મેઈલ પણ ટ્વીટમાં મૂક્યો હતો. જોકે હજુ સુધી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles