Thursday, March 5, 2026

અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા સો વખત વિચારજો ! ફેમસ રેસ્ટોરન્ટના સંભારમાંથી વંદો નીકળ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અવારનવાર હોટેલ કે રેસ્ટોરન્ટના જમવામાં વંદો કે ગરોળી કે અન્ય જીવજંતુઓ આવ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે ફરી એક વાર શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ગ્વાલિયા સ્વીટ્સમાં ઢોંસાના સંભારમાંથી વંદો નીકળ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પીરસવામાં આવેલા ઢોંસા સાથે સંભારમાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના બની છે. જે બાદ ગ્રાહકે સમગ્ર વિગતો ટ્વીટ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. તો બીજી તરફ ગ્વાલિયા તરફથી યુવકની લેખિતમાં માફી માગવામાં આવી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ, રથયાત્રાના દિવસે ઘાટલોડિયાનો જીગર વાઘવાણી નામનો યુવક પરિવાર સાથે થલતેજની ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો. જ્યાં પરિવારે મૈસૂર મસાલા ઢોંસા ઓર્ડર કર્યા હતા. ઢોંસાની સાથે ચટણી અને સંભાર આપવામાં આવ્યા હતા, જેમાં સંભારમાં વંદો નીકળ્યો હતો. સંભારમાંથી વંદો નીકળતા યુવક દ્વારા સ્ટાફને બોલાવીને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ ગ્વાલિયા તરફથી સંભાર પાછો લઈ લીધો હતો. તો યુવકે લેખિતમાં ભૂલ સ્વીકારવાની માગણી કરી હતી. જેમાં ગ્વાલિયા સ્વીટ્સ દ્વારા ઈ-મેઈલથી યુવકની માફી માગવામાં આવી હતી.

સમગ્ર મામલે જીગરે ટ્વીટ કરીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને ફરિયાદ કરી હતી. સાથે જ ગ્વાલિયા દ્વારા ભૂલ સ્વીકારીને માગવામાં આવેલી માફીનો ઈ-મેઈલ પણ ટ્વીટમાં મૂક્યો હતો. જોકે હજુ સુધી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...