Tuesday, January 13, 2026

નવા વાડજમાં આ ખાનગી સોસાયટીનું રિડેવલપમેન્ટ ચાર-પાંચ સભ્યોને કારણે અટવાયું

spot_img
Share

અમદાવાદ : શહેરની અનેક ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે નવાવાડજમાં આવેલ મહાત્મા પાર્ક સોસાયટીમાં પણ રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, ચર્ચાઓ મુજબ સોસાયટીમાં રહેતા ચાર-પાંચ સભ્યો રિડેવલપમેન્ટ માટે તૈયાર ન થતા રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી છે. જેને લઈને હાલની સ્થિતિ થઈ ગઈ છે કે ગમે ત્યારે ગમે તે દુર્ઘટનામાં કોઈનો જીવ જઈ શકે તેવી શંકાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ મહાત્મા પાર્ક સોસાયટી 42 વર્ષ જૂની હાઉસીંગ કો ઓપરેટીવ સોસાયટી છે જેમાં મોટાભાગના ફ્લેટ જર્જરિત અવસ્થામાં છે, સ્થાનિક રહીશો ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે, લોકોમાં ડરનો માહોલ છે, એક રહીશના જણાવ્યા મુજબ અનેક ફ્લેટોમાં ધાબા ખૂલી ગયા છે, ઓવરહેડ ટાંકીઓ જર્જરિત છે, કોમન સીડીમાં ઉપરના ગાબડા ગમે ત્યારે તૂટી પડે એમ છે, ગટર લાઇનો લીક છે અને દિવસે ને દિવસે સોસાયટીના અનેક ફ્લેટમાં તિરાડો વધતી જાય છે. સોસાયટીના મોટાભાગના ફલેટોની વર્તમાન હાલત એવી થઇ ગઈ છે કે ગમે ત્યારે ગમે તે દુર્ઘટના ઘટે એમ છે અને કોઈનો પણ જીવ જઈ શકે તેમ છે.

એક રહીશના જણાવ્યા મુજબ સોસાયટીના વર્તમાન 72 સભ્યોમાંથી મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે, ફલેટના મોટા ભાગના રહીશો રિડેવલપમેન્ટ માટે ઉત્સુક અને સક્રિય છે ત્યારે કેટલાક ગણ્યા ગાઠયા લોકો અંગત સ્વાર્થ અને ખોટી માંગણીઓને લઈને સોસાયટીના બાકીને રહીશોના જીવ જોખમમાં મૂકવા માટે તત્પર થયા છે. છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, ચાર-પાંચ સભ્યો યેનકેન પ્રકારે રિડેવલપમેન્ટમાં રોડા નાખી અટકાવી રહ્યા છે એવી ચર્ચાઓ છે.

મહાત્મા પાર્ક સોસાયટી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી હોવાના લીધે સરકારનું કે મ્યુ તંત્રનું તેના પર ધ્યાન નથી, પરંતુ ફ્લેટમાં રહેતા બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન, કોઈપણને કંઇ થઈ ગયું તો તેની જવાબદારી કોની??

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...