Thursday, March 12, 2026

નવા વાડજમાં આ ખાનગી સોસાયટીનું રિડેવલપમેન્ટ ચાર-પાંચ સભ્યોને કારણે અટવાયું

spot_img
Share

અમદાવાદ : શહેરની અનેક ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે નવાવાડજમાં આવેલ મહાત્મા પાર્ક સોસાયટીમાં પણ રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, ચર્ચાઓ મુજબ સોસાયટીમાં રહેતા ચાર-પાંચ સભ્યો રિડેવલપમેન્ટ માટે તૈયાર ન થતા રિડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી છે. જેને લઈને હાલની સ્થિતિ થઈ ગઈ છે કે ગમે ત્યારે ગમે તે દુર્ઘટનામાં કોઈનો જીવ જઈ શકે તેવી શંકાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ મહાત્મા પાર્ક સોસાયટી 42 વર્ષ જૂની હાઉસીંગ કો ઓપરેટીવ સોસાયટી છે જેમાં મોટાભાગના ફ્લેટ જર્જરિત અવસ્થામાં છે, સ્થાનિક રહીશો ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે, લોકોમાં ડરનો માહોલ છે, એક રહીશના જણાવ્યા મુજબ અનેક ફ્લેટોમાં ધાબા ખૂલી ગયા છે, ઓવરહેડ ટાંકીઓ જર્જરિત છે, કોમન સીડીમાં ઉપરના ગાબડા ગમે ત્યારે તૂટી પડે એમ છે, ગટર લાઇનો લીક છે અને દિવસે ને દિવસે સોસાયટીના અનેક ફ્લેટમાં તિરાડો વધતી જાય છે. સોસાયટીના મોટાભાગના ફલેટોની વર્તમાન હાલત એવી થઇ ગઈ છે કે ગમે ત્યારે ગમે તે દુર્ઘટના ઘટે એમ છે અને કોઈનો પણ જીવ જઈ શકે તેમ છે.

એક રહીશના જણાવ્યા મુજબ સોસાયટીના વર્તમાન 72 સભ્યોમાંથી મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટ માટે તૈયાર છે, ફલેટના મોટા ભાગના રહીશો રિડેવલપમેન્ટ માટે ઉત્સુક અને સક્રિય છે ત્યારે કેટલાક ગણ્યા ગાઠયા લોકો અંગત સ્વાર્થ અને ખોટી માંગણીઓને લઈને સોસાયટીના બાકીને રહીશોના જીવ જોખમમાં મૂકવા માટે તત્પર થયા છે. છેલ્લાં એક વર્ષથી વધુ સમયથી સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, ચાર-પાંચ સભ્યો યેનકેન પ્રકારે રિડેવલપમેન્ટમાં રોડા નાખી અટકાવી રહ્યા છે એવી ચર્ચાઓ છે.

મહાત્મા પાર્ક સોસાયટી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી હોવાના લીધે સરકારનું કે મ્યુ તંત્રનું તેના પર ધ્યાન નથી, પરંતુ ફ્લેટમાં રહેતા બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન, કોઈપણને કંઇ થઈ ગયું તો તેની જવાબદારી કોની??

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...