Tuesday, January 20, 2026

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર પાણી ભરાયા તો સાઈટ સીલ કરાશે !

spot_img
Share

અમદાવાદ: અમદાવાદીઓ પહેલા વરસાદી પાણી ભરવાની સમસ્યાથી પરેશાન થયા છે. જોકે, ચોમાસાની સિઝનમાં રોગચાળો બેકાબુ બને છે અને ઘરે-ઘરે મચ્છરજન્ય રોગચાળોના ખાટલા જોવા મળે છે. પરંતુ આ વખતે AMCના આરોગ્ય વિભાગ દ્વારા ટ્રીગર ડ્રાઇવનું આયોજન કરાયું હતું. બાંધકામ સાઇટ, સ્કૂલ કેમ્પસ, કોમર્શિયલ એકમમાં ચેકીંગ હાથ ધર્યું હતું. મચ્છના બ્રિડીંગ મળી આવતા ચાર એકમ સીલ કરાયા હતા અને 74 એકમ પાસેથી વહિવટી ચાર્જ સહિત નોટિસ અપાઇ હતી.

શહેરમાં તમામ વિસ્તારમાં વરસાદના કારણે પાણીના ભરાવાના સ્ત્રોતોમાં વધારો થવાથી તેમજ મચ્છર ઉત્પતિ અનુકુળ વાતાવરણ થયેલ છે. જેવી વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા દ્વારા ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી હતી. AMC ઇન્ચાર્જ મેડિકલ હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ટ્રીગર ડ્રાઇવ દરેક ઝોન ખાતે હેલ્થ ખાતાના વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ શાખા તથા સ્કૂલ બોર્ડ, એસ્ટેટ વિભાગ, ટેક્ષ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગના સંયુક્ત કામગીરી હાથ ધરાઇ હતી. વધુમાં ડૉ. સોલંકીએ જણાવ્યું હતું કે, ચેકીંગ દરમ્યાન 339 એકમ ચેક કરાયા હતા, મચ્છરના પોરા મળી આવતા 244 એકમને નોટિસ અપાઇ હતી. તેમજ 4 એકમ સીલ પણ કર્યા હતા. આ ઉપરાત 15 લાખ 93 હજારનો વહિવટી ચાર્જ પણ વસુલ કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે, ભારત સરકાર દ્વારા આગામી 2030 સુધીમાં મેલેરિયા મુક્ત જાહેર કરવાનો ટાર્ગેટ અપાયો છે. મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા વગેરે કેસોને અટકાવવા AMC કામગીરી કરી રહી છે. હેલ્થ વિભાગ હસ્તકના વેક્ટર બોર્ન ડિસીસ કંટ્રોલ શાખા દ્વારા ઇન્ટ્રોડોમેસ્ટીક, પેરાડોમેસ્ટ્રીક, ફોગીંગ, આઇઆરએસ એન્ટી લાર્વલ કન્ટ્રક્શન સાઇટોનું ચેકીંગ તથા જરૂરી આઇઈસી એક્ટીવીટી જેવી તમામ પ્રકારની રોગ અટકાયતી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલની ચોમાસાની ઋતુને જોતા વિભાગની તમામ કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...