Wednesday, February 4, 2026

અમદાવાદ RTOની ગંભીર બેદરકારી, સોફ્ટવેરમાં ખામી સર્જાતા ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી ઠપ્પ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ RTOમાં ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા બે દિવસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવામાં આવતી ટેસ્ટ બંધ કરવામાં આવી છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવામાં આવતા સોફ્ટવેરમાં ખામી સર્જાય છે. સોફ્ટવેરમાં ટેક્નિકલ સમસ્યાને કારણે લાયસન્સ લેવા આવતા અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ટેક્નિકલ ખાનીને કારણે બે દિવસમાં અનેક લોકોને ટેસ્ટ રદ્દ કરવા પડ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ RTOમાં છેલ્લા બે દિવસથી ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવાતો ટેસ્ટ બંધ કરાયો છે. ડ્રાઇવિંગ લાયસન્સ માટે લેવાતા ટેસ્ટ માટેના સોફ્ટવેરમાં ખામી સર્જાઈ છે. સોફ્ટવેરમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતા ટેસ્ટ બંધ કરવાની ફરજ પડી છે. બે દિવસમાં અંદાજે 700 કરતા વધુ ટેસ્ટ રદ્દ કરવા પડ્યા છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને અગાઉ સિલ્વર ટચ કમ્પની દ્વારા અપાતો હતો ટેક્નિકલ સપોર્ટ. છેલ્લા 4 વર્ષથી કોન્ટ્રાક્ટ રીન્યુ ના થતા સોફ્ટવેરમાં લાલીયાવાળી ચાલતી રહી છે.

આખરે સોફ્ટવેર આધારિત સમગ્ર વ્યવસ્થા ખોરવાતા અમદાવાદ RTOમાં પણ સોફ્ટવેરમાં ખામી સર્જાતા ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ કરવામાં આવી છે.આ સિવાય આગામી સમયમાં અન્ય RTOમાં પણ આવી જ સમસ્યાઓ સર્જાય તેવી દહેશત જોવા મળી રહી છે.અમદાવાદ RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવતા હજારો લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...