Thursday, January 22, 2026

સુભાષબ્રિજ RTOના ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાયા, AMCએ હાથ અધ્ધર કરતા કર્મચારીઓએ જાતે પાણી કાઢવું પડ્યું

spot_img
Share

અમદાવાદ : શહેરમાં તાજેતરમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ વચ્ચે અમદાવાદ RTOમાં આવેલા ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદી પાણી ટેસ્ટિંગ ટ્રેકમાં ભરાઈ જતા RTOના અધિકારીઓએ મ્યુનિ. કોર્પોરેશનની મદદ માગી હતી. જોકે તેમને વિચિત્ર જવાબ મળ્યો હતો.

જો કે, AMC એ એવો જવાબ આપ્યો કે, 4 ઈંચથી વધુ વરસાદી પાણી ભરાયું હોય તો જ અમે તે પાણી ઉલેચવામાં મદદ કરીએ શકીએ. આખરે RTOના કર્મચારીઓની મદદ લીધી હતી. જેમાં કર્મચારીઓને ટ્રેકની ફરતે ડોલો લઈને પાણી ઉલેચવા ગોઠવાઈ ગયા હતા. આ કામગીરી આખો દિવસ ચાલી હોવાથી 250થી 300 લોકોને પાછા જવું પડ્યું હતું.

આમ ટેસ્ટિંગ ટ્રેકમાં આ રીતે આખો દિવસ પાણી કાઢવાની કામગીરી ચાલવાને કારણે ટેસ્ટિંગ ટ્રેક બંધ હોવાથી વ્હીકલ ટેસ્ટ આપવા માટે RTOમાં આવેલા અરજદારોને પણ ધક્કો ખાઈને પાછા જવું પડ્યું હતું. અંદાજે 250થી 300 જેટલા અરજદારોને ટેસ્ટિંગ ટ્રેક બંધ હોવાના કારણે ધક્કો થતા પાછા જવું પડ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...