Tuesday, January 20, 2026

ચાંદખેડામાં પ્રેગ્નેટ મહિલાનું રહસ્યમયી મોત? સાસરીયાએ બારોબાર રાજસ્થાનમાં અંતિમ વિધિ કરી નાખી!

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેગ્નેટ મહિલાના રહસ્યમયી મોત થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવતીના પરિવારજનો દ્વારા સાસરીયા સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાથે જ તેમનો આક્ષેપ છે કે મહિલાનું મોત થયા બાદ પતિએ તેમને જાણ કર્યા વિના જ દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં પતિ અન્ય લોકો સાથે મહિલાને ઉચકીને કારમાં ક્યાંક લઈ જતા દેખાય છે.

રિપોર્ટ મુજબ ચાંદખેડા વિસ્તારમાં પ્રેગ્નેટ મહિલાના અચાનક મોત સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહિલા મોત બાદ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં મહિલાનો પતિ અન્યની મદદથી પત્નીને ઉચકીને કારમાં લઈ જતા દેખાય છે. મૃતક યુવતીના પરિજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની દીકરીની હત્યા કરાઈ છે.મહિલાના મોત બાદ પિયરના લોકોને જાણ કરવામાં આવી જ ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. સાથે જ સાસરીયાએ બારોબર મૃતક યુવતીને રાજસ્થાન લઈ જઈને તેની અંતિમ વિધિ કરી નાખી.

ત્યારે સવાલો થઈ રહ્યા છે કે, યુવતીના મોતની જાણ તેના પરિવારજનોને કેમ ન કરવામાં આવી? યુવતીના પરિવારજનોના આક્ષેપો બાદ પોલીસે તેમના નિવેદનો લીધા છે. યુવતીને સાસરીયાની હેરાનગતિ હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં હવે પોલીસ પરિવારના સભ્યો તથા મૃતક મહિલાની તપાસ બાદ કેસના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...