Tuesday, June 9, 2026

ISROએ રચ્યો ઈતિહાસ : શ્રીહરિકોટાથી ચંદ્રયાન-3નું થયુ લોન્ચિંગ, 40 દિવસે થશે લેન્ડિંગ

spot_img
Share

નવી દિલ્હી : ભારતના ત્રીજા મુન મિશન ચંદ્રયાન-3ને આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ 43.5 મીટર લાંબુ બાહુબલી રોકેટ ચંદ્રયાનને લઈને ઉડ્યું છે. LVM3 ઈસરોનું સૌથી મોટું અને ભારે રોકેટ છે. આજે બપોરે 2.35 વાગે શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષે કેન્દ્રથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં લોકો આ જોવા માટે ઉમટ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લોકો ઉમટ્યા હતા.

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ માત્ર 16 મિનિટની ફ્લાઈટ બાદ જ રોકેટથી ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટમાંથી બહાર આવી જશે. તે સમયે ઉંચાઈ 179 કિમી હશે. યાન 170 કિમીના અંતર પર એક અંડાકાર રસ્તા પર લગભગ 5-6 વાર ધરતીના ચક્કર કાપશે. ફરતા ફરતા સ્પીડ મેળવ્યા બાદ એક મહિનાની યાત્રા પર ચંદ્ર તરફ આગળ વધશે. ચંદ્રની કક્ષામાં તે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર સુધી પહોંચી જશે. જો બધું જ બરાબર રહ્યું તો ચંદ્રયાન-3 ઓગસ્ટના અંત સુધીમાં ચંદ્રમા પર ઉતરશે. તો આ ચંદ્રયાનમાં મહિલાઓનું પણ ખાસ યોગદાન રહેલું છે.

જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા ઘણા અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે.IANSની સાથેની વાતચીતમાં ઈસોરના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, લગભગ 54 મહિલા એન્જિનિયર્સ-વૈજ્ઞાનિક છે કે જેઓ ચંદ્રયાન-3 મિશન પર કામ કરી રહી છે. અલગ અલગ કેન્દ્રો પર વિવિધ સિસ્ટમના સહયોગી અને આ પ્રોજેક્ટના નિદેશક અને યોજના વ્યવસ્થાપક છે.

તો PM મોદીએ પણ ઈસરોના વૈજ્ઞાનિકોના પ્રયાસની પ્રશંસા કરી હતી. ISROની ટીમને ગુડલક કહેતા PM મોદીએ લખ્યં કે, ચંદ્રયાન-3 મિશન માટે શુભેચ્છાઓ. હું આપ તમામને આ મિશન અને અંતરિક્ષા, વિજ્ઞાન તથા નવાચારમાં આપણે જે પ્રગતિ કરી છે, એના વિશે વધુ વિગતો મેળવવા માટે આગ્રહ કરું છું. તમને બધાને ખૂબ જ ગર્વ અનુભવ થશે. PM મોદીએ કહ્યું કે, આપણા વૈજ્ઞાનિકોને ધન્યવાદ. અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતનો ઈતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...