Saturday, January 17, 2026

વસ્ત્રાપુરમાં ફેમસ પિઝા આઉટલેટમાં AMCનું ચેકિંગ, જુઓ ગંદકીના ચોંકાવનારા દ્રશ્યો

spot_img
Share

અમદાવાદ : ચોમાસાની શરૂઆતની સાથો-સાથ અમદાવાદમાં રોગચાળાએ પણ માજા મુકી છે. હાલ સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. જેનું એક કારણ બહારનો બિનઆરોગ્ય પ્રદ ખોરાક પણ છે. જેને પગલે અમદાવાદ AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન જાણીતા પિઝા હાઉસની વરવી તસવીર સામે આવી. એ તસવીરો જોઈને તમે પિઝા ખાવું જ છોડી દેશો.

પ્રાપ્ત વિગતો મુજબ આજે શહેરના વસ્ત્રાપુરના એક પિઝા આઉટલેટમાં AMCની આરોગ્યની ટીમમાં ચેકિંગ દરમિયાન ગંદકી જોવા મળી. જુઓ પિઝાના આઉટલેટમાં કેવી સ્થિતિમાં પિઝા બની રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા આઉટલેટમાં જ્યાં પિઝા બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં જ ગંદકીના ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા છે. અહી જ્યાં પિઝા માટે લોટનો બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યાં જ માખીઓ ફરતી જોવા મળી હતી.

જ્યાં રોટલા પર મસાલો નાંખીને બનાવીને તૈયાર રાખવામાં આવી રહ્યા છે ત્યાં ચારેકોર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. AMCની આરોગ્ય વિભાગની ટીમ પણ આ આઉટલેટના દ્ર્શ્યો જોઇને ચોંકી ઉઠી હતી. આરોગ્યની ટીમે આ આઉટલેટના સંચાલકને 10 હજારનો દંડ ફટકાર્યો છે. પિઝા માટે વપરાતા ચીઝ સહિતની સામગ્રીઓનું પણ ચેકીંગ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આરોગ્યની ટીમે વસ્ત્રાપરમાં ગાંઠીયા રથના આઉટલેટ પર પણ ચેકીંગ કર્યું હતું અને જે તેલમાં ગઠિયા બનાવવામાં આવી રહ્યા છે તે તેલના નમૂના લઇ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે વરસાદની સીઝનમાં ગંદકીના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બનતા હોય છે ત્યારે આ વખતે વરસાદની સીઝનને ધ્યાનમાં રાખીને જ અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...