Tuesday, February 3, 2026

વસ્ત્રાપુરમાં ફેમસ પિઝા આઉટલેટમાં AMCનું ચેકિંગ, જુઓ ગંદકીના ચોંકાવનારા દ્રશ્યો

spot_img
Share

અમદાવાદ : ચોમાસાની શરૂઆતની સાથો-સાથ અમદાવાદમાં રોગચાળાએ પણ માજા મુકી છે. હાલ સરકારી અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. જેનું એક કારણ બહારનો બિનઆરોગ્ય પ્રદ ખોરાક પણ છે. જેને પગલે અમદાવાદ AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને ખાદ્ય સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન જાણીતા પિઝા હાઉસની વરવી તસવીર સામે આવી. એ તસવીરો જોઈને તમે પિઝા ખાવું જ છોડી દેશો.

પ્રાપ્ત વિગતો મુજબ આજે શહેરના વસ્ત્રાપુરના એક પિઝા આઉટલેટમાં AMCની આરોગ્યની ટીમમાં ચેકિંગ દરમિયાન ગંદકી જોવા મળી. જુઓ પિઝાના આઉટલેટમાં કેવી સ્થિતિમાં પિઝા બની રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા આઉટલેટમાં જ્યાં પિઝા બનાવવામાં આવી રહ્યા છે, ત્યાં જ ગંદકીના ચોંકાવનારા દ્ર્શ્યો સામે આવ્યા છે. અહી જ્યાં પિઝા માટે લોટનો બેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યાં જ માખીઓ ફરતી જોવા મળી હતી.

જ્યાં રોટલા પર મસાલો નાંખીને બનાવીને તૈયાર રાખવામાં આવી રહ્યા છે ત્યાં ચારેકોર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. AMCની આરોગ્ય વિભાગની ટીમ પણ આ આઉટલેટના દ્ર્શ્યો જોઇને ચોંકી ઉઠી હતી. આરોગ્યની ટીમે આ આઉટલેટના સંચાલકને 10 હજારનો દંડ ફટકાર્યો છે. પિઝા માટે વપરાતા ચીઝ સહિતની સામગ્રીઓનું પણ ચેકીંગ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત આરોગ્યની ટીમે વસ્ત્રાપરમાં ગાંઠીયા રથના આઉટલેટ પર પણ ચેકીંગ કર્યું હતું અને જે તેલમાં ગઠિયા બનાવવામાં આવી રહ્યા છે તે તેલના નમૂના લઇ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહત્વનું છે કે વરસાદની સીઝનમાં ગંદકીના કારણે અનેક લોકો બીમારીનો ભોગ બનતા હોય છે ત્યારે આ વખતે વરસાદની સીઝનને ધ્યાનમાં રાખીને જ અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...