Friday, January 23, 2026

દ્વારકામાં દર્શન કરવા જતા હોવ તો આ ટાઈમ ટેબલ ખાસ જોઈ લેજો, અધિકમાસ નિમિત્તે થયા આ ફેરફાર

spot_img
Share

દ્વારકા : આજથી અધિક માસનો પ્રારંભ થયો છે જે 16 ઓગસ્ટ 2016ના રોજ સમાપ્ત થશે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં અધિક માસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને અધિક માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સાથે જ મંદિરમાં થતી મંગળા આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એવામાં દ્વારકાધીશના દર્શને જતા ભક્તોએ નવું ટાઈમ ટેબલ ખાસ જોવું જોઈએ.

આ વર્ષે અધિકમાસના કારણે બે શ્રાવણ મહિના છે. એવામાં દ્વારકા જગતમંદિરમાં અધિક માસમાં રામ નવમી, દેવ દિવાળી તથા જન્માષ્ટમી જેવા પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. પહેલા 8મી ઓગસ્ટે અધિક માસની જન્માષ્ટમીની ઉજવણી દ્વારકા મંદિરમાં થશે. બાદમાં સપ્ટેમ્બર મહિનામાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરાશે. આમ બે વખત જન્માષ્ટમીની ઉજવણી કરાશે. ત્યારે અત્યારથી મંદિરમાં યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ સાથે જ દ્વારકાધીશ મંદિર તરફથી અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ તથા અન્ય ઉત્સવોની ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 20 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી મંગળા આરતીનો સમય સવારે 6 વાગ્યે કરવામાં આવ્યો છે. જેની જાણકારી ભક્તોને આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...