Monday, November 10, 2025

દ્વારકામાં દર્શન કરવા જતા હોવ તો આ ટાઈમ ટેબલ ખાસ જોઈ લેજો, અધિકમાસ નિમિત્તે થયા આ ફેરફાર

spot_img
Share

દ્વારકા : આજથી અધિક માસનો પ્રારંભ થયો છે જે 16 ઓગસ્ટ 2016ના રોજ સમાપ્ત થશે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં અધિક માસ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે અને અધિક માસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. સાથે જ મંદિરમાં થતી મંગળા આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એવામાં દ્વારકાધીશના દર્શને જતા ભક્તોએ નવું ટાઈમ ટેબલ ખાસ જોવું જોઈએ.

આ વર્ષે અધિકમાસના કારણે બે શ્રાવણ મહિના છે. એવામાં દ્વારકા જગતમંદિરમાં અધિક માસમાં રામ નવમી, દેવ દિવાળી તથા જન્માષ્ટમી જેવા પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. પહેલા 8મી ઓગસ્ટે અધિક માસની જન્માષ્ટમીની ઉજવણી દ્વારકા મંદિરમાં થશે. બાદમાં સપ્ટેમ્બર મહિનામાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરાશે. આમ બે વખત જન્માષ્ટમીની ઉજવણી કરાશે. ત્યારે અત્યારથી મંદિરમાં યોજાનારા કાર્યક્રમોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ સાથે જ દ્વારકાધીશ મંદિર તરફથી અધિક શ્રાવણ માસ દરમિયાન શ્રીજીના દર્શનનો કાર્યક્રમ તથા અન્ય ઉત્સવોની ઉજવણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 20 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી મંગળા આરતીનો સમય સવારે 6 વાગ્યે કરવામાં આવ્યો છે. જેની જાણકારી ભક્તોને આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...