Thursday, September 18, 2025

અમદાવાદના આ પોલીસ સ્ટેશનના PSI 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

Share

Share

અમદાવાદ : શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI નરેશદાન ઉમેદસિંહ ટાપરિયાને ACBએ 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. PSI ટાપરિયાએ એક મહિલાના પતિને માર ન મારવા અને PASA હેઠળ કાર્યવાહી ન કરવા માટે 50 હજારની લાંચ માંગી હતી. આ મહિલાએ ACBને જાણ કરતા ACBએ PSI ટાપરિયાને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પોષ વિસ્તાર એવા આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવેલ જોધપુર ગામ ચોકીમાં PSI નરેશદાન ટાપરિયાએ એક મહિલાના પતિ વિરુદ્ધ દાખલ થયેલા ગુનામાં 151 હેઠળ કાર્યવાહી કરી જામીન લેવડાવી માર નહિ મારવા અને પાસા નહિ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.આરોપીની પત્ની પાસે લાંચની માંગણી કરી હતી જે લાંચ આરોપીની પત્ની આપવા ઈચ્છતી નહોતી, જેથી ACB નો સંપર્ક કર્યો હતો.

ACB દ્વારા PSI ને રંગે હાથે પકડવા લાંચ આપવાનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.આરોપીની પત્નીએ 50 હજાર રૂપિયાની લાંચની રકમ લઈને જોધપુર ગામ ચોકી પહોંચી હતી.જોધપુર ગામ ચોકીમાં જ PSI નરેશદાન લાંચ લેતા ACB એ ઝડપી લીધો હતો. ACB એ સમગ્ર મામલે PSI નરેશદાનની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...