Wednesday, January 21, 2026

અમદાવાદના આ પોલીસ સ્ટેશનના PSI 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI નરેશદાન ઉમેદસિંહ ટાપરિયાને ACBએ 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. PSI ટાપરિયાએ એક મહિલાના પતિને માર ન મારવા અને PASA હેઠળ કાર્યવાહી ન કરવા માટે 50 હજારની લાંચ માંગી હતી. આ મહિલાએ ACBને જાણ કરતા ACBએ PSI ટાપરિયાને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પોષ વિસ્તાર એવા આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવેલ જોધપુર ગામ ચોકીમાં PSI નરેશદાન ટાપરિયાએ એક મહિલાના પતિ વિરુદ્ધ દાખલ થયેલા ગુનામાં 151 હેઠળ કાર્યવાહી કરી જામીન લેવડાવી માર નહિ મારવા અને પાસા નહિ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.આરોપીની પત્ની પાસે લાંચની માંગણી કરી હતી જે લાંચ આરોપીની પત્ની આપવા ઈચ્છતી નહોતી, જેથી ACB નો સંપર્ક કર્યો હતો.

ACB દ્વારા PSI ને રંગે હાથે પકડવા લાંચ આપવાનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.આરોપીની પત્નીએ 50 હજાર રૂપિયાની લાંચની રકમ લઈને જોધપુર ગામ ચોકી પહોંચી હતી.જોધપુર ગામ ચોકીમાં જ PSI નરેશદાન લાંચ લેતા ACB એ ઝડપી લીધો હતો. ACB એ સમગ્ર મામલે PSI નરેશદાનની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...