Tuesday, February 10, 2026

અમદાવાદીઓ માટે કોર્પોરેશનનું ટેક્સ બિલ ભરવું હવે થયુ સરળ, QR કોડથી ઘરે બેઠા ભરી શકાશે ટેક્સ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા મિલકતધારકો હવે ઓનલાઈન ટેક્સના નાણાં QR કોડ સ્કેન કરી ભરી શકશે. ટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવતા બિલમાં જ QR કોડ સ્કેન આપવામાં આવ્યો છે. જે સ્કેન કર્યા બાદ સીધા ઓનલાઈન નાણા ચૂકવી શકશે. કોઈ પણ પ્રકારની માહિતી તેમને ભરવાની રહેશે નહીં. આમ હવે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધતા લોકો પોતાના બિલ ઓનલાઈન ભરી શકશે.

AMCના ટેક્સ વિભાગ દ્વારા ચાલુ વર્ષ 2023-24માં જુલાઈ માસમાં ચાલુ વર્ષના બિલો છપાવી કરદાતાઓને વિતરણ કરવાની કામગીરી શરૂ કરેલ છે. બિલમાં આપવામાં આવેલા QR કોડ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપ મોબાઈલ નંબર +91 7567855303 પર Hi લખીને મેસેજ કરે તો ચેટબોટ મારફતે પણ તેઓ પોતાના ટેક્સ બિલ મેળવી અને આપેલી લીંક ઉપરથી નાણાંની ચૂકવણી કરી શકશે. આમ હવે લોકોને સિવિક સેન્ટર પર જઈ અને બિલ ભરવાની જરૂરિયાત રહેશે નહીં.

ટેક્સ વિભાગમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે હવે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. પરંતુ સિવિક સેન્ટર ઉપર ઓનલાઈન QR કોડ સ્કેન કરીને અથવા તો લિંક મારફતે પેમેન્ટ કરવાની સિસ્ટમ ગોઠવવામાં આવી નથી. ભૂતકાળમાં ટેક્સ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારમાં સેન્ટરો ઉપરથી જ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...