Thursday, January 15, 2026

સ્માર્ટ સિટી અમદાવાદના અનેક CCTV હજુ પણ બંધ હાલતમાં, કરોડોનું મેન્ટેનન્સ શા માટે?

spot_img
Share

અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદ(Ahmedabad) હાલ દેશ વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેનું કારણ છે એક અકસ્માત. ઇસ્કોન બ્રિજ પર (Iskcon Bridge Accident) થયેલા જેગુઆર કાર અકસ્માતની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ રહી છે જેને કારણે અમદાવાદ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ અકસ્માતથી જાણે કે સરકાર અને AMC, પોલીસ વિભાગ સફાળું જાગી ગયું હોય તેમ અચાનક સક્રિય થઈ ગયું છે.

તાજેતરમાં શહેરના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ AMCનું તંત્ર સફાળું જાગ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના 84 બ્રિજ પર CCTV લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લગાવવામાં આવેલા કેમેરા બંધ હોવાનું વિપક્ષના આક્ષેપ બાદ સત્તાધીશોએ CCTVના આંકડાઓ જાહેર કર્યા છે.

અમદાવાદ શહેરમાં કુલ કેમેરાની આજની સ્થિતિ નીચે જણાવ્યા મુજબની છે.
સદર પ્રોજેક્ટની શરૂઆતમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મોનીટરીંગ માટે આપવામાંઆવલે લિસ્ટ મજબુ કુલ 130 જંકશન પૈકી હાલ 113 જંકશન પર 1695 કેમેરા કાર્યરત છે. જે પૈકી 288 કેમેરા બંધ (DOWN) છે

પોલીસ સર્વેલન્સનાં હેતુથી શરુ કરવામાં આવેલા સંવેદનશીલ વિસ્તારો અને રથયાત્રા, તાજીયા, જાહેર માર્ગો વિગેરે પર હાલ 272 કેમેરા લગાવવામાં આવેલા છે. જે પૈકી 49 કેમેરા બંધ છે. AMC ની વિવિધ કચેરીઓ અને ઝોનલ ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટર, બગીચાઓ, AMC શાળાઓ, વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર વિગેરે ખાતે 2691 જેટલાં કેમેરા કાર્યરત છે. જે પૈકી હાલ 289 કેમેરા બંધ છે.

BRTS કોરીડોરમાં અનઅધિકૃત વાહનોનાં પ્રવેશ અટકાવી શકાય તે હેતુથી શરુ BRTS કોરીડોરમાં 244 કેમેરા લગાવવામાં આવલે છે. જે પૈકી 10 કેમેરા બંઘ છે.આમ કોર્પોરેશને પોતાના લગાવેલા CCTV અંગે અહેવાલ આપ્યો હતો. જેમાં તેઓએ 85 ટકા કેમેરા ચાલુ હોવાનો દાવો કર્યો છે જયારે 15 ટકા કેમેરા ટેકનીકલ કારણોસર બંધ હોવાનો ખુલાસો કર્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...