Tuesday, January 13, 2026

વેજલપુરના સબ-રજિસ્ટ્રાર 1,50,000 રુપિયાની લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી લીધા

spot_img
Share

અમદાવાદ: રાજ્યની ACBની ટીમે અમદાવાદના વેજલપુરમાં આવેલી સબ-રજિસ્ટ્રારની કચેરીમાં છટકું ગોઠવીને સબ-રજીસ્ટ્રારને લાંચ લેતા ઝડપી લીધા હતા. અધિકારી તુલસીદાસ મારકણાએ દોઢ લાખ રુપિયાની રકમની માગણી કરી હતી અને તેને સ્વીકારવા જતાં તેઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફરિયાદીને 30 જેટલા દસ્તાવેજ કરવાના હતા. જેની રકમ પેટે સબ-રજિસ્ટ્રાર અધિકારીએ દોઢ લાખ રુપિયાની માંગણી કરી હતી.

ACBની કચેરીમાં એક ફરિયાદીએ વિગતે ફરિયાદ કરી હતી કે વેજલપુર સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા લાંચની રકમ દોઢ લાખ રુપિયા જેટલી માંગવામાં આવી છે. પોતે આ રકમ લાંચ પેટે સત્તાવાર સરકારી કામના આપવા ઈચ્છતા નથી. પોતાની માલિકીની મિલ્કતનો દસ્તાવેજ કરવો અને કરી આપવો એ પોતાનો અધિકાર છે, આમ છતાં દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરવા દરમિયાન મોટી રકમ લાંચ પેટે માંગવામાં આવી રહી હતી.

આથી ACB સમક્ષ પોતાની ફરીયાદ કરતા મદદનીશ નિયામક ડો. દિવ્યા રવ્યા જાડેજાએ છટકાનુ આયોજન ગોઠવ્યુ હતુ. ગાંધીનગર ACBના પીઆઈ જેએન ગઢવી અને તેમની દ્વારા છટકુ સબ રજીસ્ટ્રારની કચેરીમાં ગોઠવ્યુ હતુ. આ દરમિયાન આરોપી સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાએ દોઢ લાખ રુપિયાની રકમની માંગણી કરી હતી. આ લાંચ અંગેની વાતચીત કરીને લાંચની રકમ લેવા જતા જ રંગે હાથ છટકુ ગોઠવેલ અધિકારીઓએ ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.

વધુ મળતી માહિતી મુજબ, ફરિયાદીને 30 જેટલા દસ્તાવેજ કરવાના હતા. આ દસ્તાવેજ કરવા માટે પ્રતિ દસ્તાવેજ દીઠ પાંચ હજાર રુપિયાની રકમ સબ-રજિસ્ટ્રાર તુલસીદાસે માગી હતી. આટલી મોટી રકમ દસ્તાવેજ નોંધણી જેવી કાર્યવાહી બાબતે માગવાને લઈને ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....