Wednesday, January 21, 2026

ઈસ્કોન બ્રિજ પર વધુ એક હિટ એન્ટ રનની ઘટના,બેફામ કારચાલકે બાઈકને મારી ટક્કર, એક રાહદારીનું મોત

spot_img
Share

અમદાવાદ: બેફામ વાહન ચાલકો અમદાવાદના ઈસ્કોન બ્રિજનું નામ જ જાણે લોહીથી લખી નાખશે. ઇસ્કોન બ્રિજ પર થોડા સમય પહેલા જ નબીરા તથ્ય પટેલે લક્ઝુરિયસ જેગુઆર કારથી નવ લોકોને કચડી માર્યા તે ઘટના હજી ભુલાઈ નથી ત્યાં ગઈકાલે ગુરૂવારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર એક કારચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નિપજ્યું છે. આ બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક કારચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. પરિણામે વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. મૃતક યતેન્દ્રસિંહ ખાનગી કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો. જોકે, કારચાલકે રાહદારી બાદ એક બાઈકને પણ ટક્કર મારી હતી.આ વ્યક્તિ એટલો નિર્દયી કે તે અકસ્માત સર્જી ત્યાં ઊભો પણ રહ્યો ન્હોતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હોવાની વિગતો સામે આવી છે.

આ બનાવની જાણ થતાં ટ્રાફિક એસીપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાર ચાલક કોણ હતો? તથા કઈ દિશામાં ગયો તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા તથ્ય પટેલ અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. તે ઘટનાના પીડિતો હજુ પણ ન્યાયની ઝંખના કરી રહ્યા છે. ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...