Wednesday, January 14, 2026

ઘાટલોડિયાની આ સ્કૂલના વિદ્યાર્થિનીઓએ કર્યો અનોખો સેવાયજ્ઞ, હવે જરૂરિયાતમંદ દર્દીઓને મળશે લાભ

spot_img
Share

અમદાવાદ: અનેક કિસ્સામાં બીમારી મટી ગયા પછી દવાઓ ફેંકી દઈ વેડફાઈ જાય છે તો કેટલાક કિસ્સામાં દવાઓની અછતને કારણે દર્દીને વઘુ પડતી તકલીફનો ભોગ બનવું પડે છે. આ સમસ્યાના નિવારણના ભાગરૂપે અમદાવાદમાં ઘાટલોડિયા આવેલી જ્ઞાન્દા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સૂર્યોદયના સહયોગથી વણવપરાયેલ દવાઓનું કલેક્શન કરી નિલકંઠ મહાદેવ ટ્રસ્ટને નિ:શુલ્ક સુપ્રત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. જેમાં વિધાર્થીઓએ દવાનું યોગ્ય મહત્વ અને નિકાલને સમજીને વણવપરાયેલ અને ઉપયોગી દવાઓનું એક કલેક્શન કરવામાં આવ્યુ હતું. આ 2,51,000 રૂપિયાનું જંગી મેડિસિન એકઠી કરી નિલકંઠ મહાદેવ ટ્રસ્ટમાં નિ:શુલ્ક જમા કરાવી સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.જે અભિનંદનને પાત્ર છે.આમ જોવા જઈએ તો દવા શરીરમાં થતી બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે લેવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને થયેલી બીમારી મટી ગયા પછી અથવા વણવપરાયેલ દવાને ફેંકી દેતા હોય છે.જે પર્યાવરણમાં ભળતા જોખમી પ્રદૂષણ ફેલાવે છે.

જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જાગૃતિબેન પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઘણા લોકો ઉપયોગી કે વણવપરાયેલ દવાને ફેંકી દેતા હોય છે. જ્યારે તેઓ નીલકંઠ મહાદેવ મંદિર દર્શન કરવા ગયા ત્યારે ત્યા બાજુમાં મૂકેલું એક બોક્સ જોયું. જેના પર લખ્યું હતું કે તમારા ઘરમાં વણવપરાયેલ દવા અહીં જમા કરાવી શકો છો.એ પછી ટ્રસ્ટમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે નિલકંઠ મહાદેવ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના ઇલાજ માટે નિ:શુલ્ક મેડિસિન કેમ્પ ચલાવવામાં આવે છે. આ સાથે દર્દીને જરૂરી દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. તેથી તેમણે તેમની સ્કૂલના વિદ્યાર્થીઓની મદદથી 2,51,000 રૂપિયા જેટલી રકમની વણવપરાયેલ અને ઉપયોગી દવાઓનું કલેક્શન કરી સંસ્થામાં સુપ્રત કરી હતી.

આનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે જરૂરી દવાઓ ક્યાક વેડફાય નહિ અને જરૂરિયાતમંદ દર્દીઓના સારવાર માટે યોગ્ય દવાઓ મળી રહે. જો આ કાર્યને લોકો સમજશે તો દવા ફેંકી દેવાથી થતું પ્રદૂષણ પણ અટકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...