Thursday, March 12, 2026

ઘાટલોડિયાની આ સ્કૂલના વિદ્યાર્થિનીઓએ કર્યો અનોખો સેવાયજ્ઞ, હવે જરૂરિયાતમંદ દર્દીઓને મળશે લાભ

spot_img
Share

અમદાવાદ: અનેક કિસ્સામાં બીમારી મટી ગયા પછી દવાઓ ફેંકી દઈ વેડફાઈ જાય છે તો કેટલાક કિસ્સામાં દવાઓની અછતને કારણે દર્દીને વઘુ પડતી તકલીફનો ભોગ બનવું પડે છે. આ સમસ્યાના નિવારણના ભાગરૂપે અમદાવાદમાં ઘાટલોડિયા આવેલી જ્ઞાન્દા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સૂર્યોદયના સહયોગથી વણવપરાયેલ દવાઓનું કલેક્શન કરી નિલકંઠ મહાદેવ ટ્રસ્ટને નિ:શુલ્ક સુપ્રત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. જેમાં વિધાર્થીઓએ દવાનું યોગ્ય મહત્વ અને નિકાલને સમજીને વણવપરાયેલ અને ઉપયોગી દવાઓનું એક કલેક્શન કરવામાં આવ્યુ હતું. આ 2,51,000 રૂપિયાનું જંગી મેડિસિન એકઠી કરી નિલકંઠ મહાદેવ ટ્રસ્ટમાં નિ:શુલ્ક જમા કરાવી સમાજને પ્રેરણારૂપ કાર્ય કર્યું છે.જે અભિનંદનને પાત્ર છે.આમ જોવા જઈએ તો દવા શરીરમાં થતી બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે લેવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને થયેલી બીમારી મટી ગયા પછી અથવા વણવપરાયેલ દવાને ફેંકી દેતા હોય છે.જે પર્યાવરણમાં ભળતા જોખમી પ્રદૂષણ ફેલાવે છે.

જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ જાગૃતિબેન પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઘણા લોકો ઉપયોગી કે વણવપરાયેલ દવાને ફેંકી દેતા હોય છે. જ્યારે તેઓ નીલકંઠ મહાદેવ મંદિર દર્શન કરવા ગયા ત્યારે ત્યા બાજુમાં મૂકેલું એક બોક્સ જોયું. જેના પર લખ્યું હતું કે તમારા ઘરમાં વણવપરાયેલ દવા અહીં જમા કરાવી શકો છો.એ પછી ટ્રસ્ટમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે નિલકંઠ મહાદેવ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓના ઇલાજ માટે નિ:શુલ્ક મેડિસિન કેમ્પ ચલાવવામાં આવે છે. આ સાથે દર્દીને જરૂરી દવાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. તેથી તેમણે તેમની સ્કૂલના વિદ્યાર્થીઓની મદદથી 2,51,000 રૂપિયા જેટલી રકમની વણવપરાયેલ અને ઉપયોગી દવાઓનું કલેક્શન કરી સંસ્થામાં સુપ્રત કરી હતી.

આનો ઉદ્દેશ્ય માત્ર એ જ છે કે જરૂરી દવાઓ ક્યાક વેડફાય નહિ અને જરૂરિયાતમંદ દર્દીઓના સારવાર માટે યોગ્ય દવાઓ મળી રહે. જો આ કાર્યને લોકો સમજશે તો દવા ફેંકી દેવાથી થતું પ્રદૂષણ પણ અટકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...