Saturday, January 24, 2026

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેર કરી માર્ગદર્શિકા, પોલીસકર્મીઓ યુનિફોર્મ કે નેમ પ્લેટ વિના નહીં ફરી શકે

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને કરેલા તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ પ્રવાસથી પરત આવેલ અમદાવાદ આવેલા નાગરિકને શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર પોલીસ કર્મચારીઓએ રોકી કેસમાં ફસાવી દેવાની ગર્ભિત ધમકી આપી અસબ્ય વર્તન કરી નાણાકીય વ્યવહાર કર્યો હોવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલે એરપોર્ટથી આવતા મુસાફરોના ચેકીંગ અંગે અમદાવાદ પોલીસ કમિશનર IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિકે માર્ગદર્શિકા જાહરે કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતેથી આવતા મુસાફરોને પોલીસ દ્વારા થતી હેરાનગતિ બાબતે અમદાવાદ પોલીસ કમિશનર તરફથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં આપવામાં આવેલી સૂચનાની કડક અમલવારી કરવા અંગે અમદાવાદ પોલીસ કમિશનરે નિર્દેશ આપ્યાં છે. આ સૂચનાઓ આ મુજબ છે :

1) નાયબ પોલીસ કમિશનરોએ નિયમિત નાઈટ રાઉન્ડ કરવાની સૂચના.
2) અમદાવાદ એરપોર્ટથી શહેરમાં પ્રવેશ કરતા રોડ પર આવેલા પોઇન્ટ પર વિશેષ ધ્યાન આપવા સૂચના
3) એસપી રીંગ રોડ, એસજી હાઇવે, રિવરફ્રન્ટ, આશ્રમ રોડ વગેરે રોડ પર આવેલ પોલીસ પોઇન્ટ, હોમગાર્ડ પોઈન્ટના કર્મચારીને અચૂક વાહન ચેક કરવાની સૂચના.
4) વાહન ચેકિંગ દરમિયાન વિદેશી નાગરિક કે વિદેશ પ્રવાસથી આવેલ નાગરિક સાથે સભ્યતાપૂર્વક વર્તન રાખવામાં આવે તે અંગે જરૂરી બ્રીફિંગ કરવા અપાઈ સૂચના
5) નાઈટ રાઉન્ડ દરમિયાન બહારથી આવતા નાગરિકોને હેરાનગતિ ન થાય તે માટે ડિકોય ગોઠવવાની સૂચના.
6) તમામ થાણા, પોલીસ સ્ટેશન ખાતે રોલ કોલ રાખી તમામ પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ જવાનોને નાગરિકો સાથે સભ્ય વર્તન રાખે તે માટે કડક સૂચના આપવા નિર્દેશ.
7) નાઈટ રાઉન્ડ ફરજ દરમિયાન તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનો નિયત યુનિફોર્મમાં પોતાની નેમપ્લેટ સાથે જ હોવા જોઈએ. અયોગ્ય જણાય તો શિક્ષાત્મક પગલાં અંગેની કાર્યવાહી કરવા સૂચના.
8) નાઈટ રાઉન્ડ ફરજ દરમિયાન પોતાને ફાળવેલ ફરજના પોઈન્ટ કે પેટ્રોલિંગ રૂટ ઉપર જ પોલીસ કર્મચારી કે અધિકારીઓ તથા હોમગાર્ડના જવાન હોવા જોઈએ.
9) કોઈપણ નાગરિકને પોલીસ કે હોમગાર્ડ દ્વારા ખોટી રીતે કનડગત કે હેરાન કરવામાં આવ્યાં હોવાની રજૂઆત મળે ત્યારે તાત્કાલિક તપાસ કરી કસુર જણાય ત્યારે સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સૂચના.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...