Tuesday, September 16, 2025

નવા વાડજમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથેની માથાકૂટ થતાં માલધારીનું હાર્ટએટેકથી મોત

Share

Share

અમદાવાદ : શહેરના નવા વાડજમાં ઢોર પકડવા આવેલી પાર્ટી સાથે માલધારી વૃદ્ધની ધક્કામુક્કી દરમિયાન માલધારી સમાજના એક વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. વૃદ્ધનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનો માલધારીઓ આક્ષેપ કરી રહ્યાં છે. અને પરિવાર મૃતદેહ લઇને ઉસ્માનપુરા AMC ઓફિસ પહોંચ્યો છે.અને ન્યાય માટે હંગામો મચાવ્યો હતો.

વિગતવાર જોઈએ તો, આજે સવારના સમયે નવા વાડજ વિસ્તારમાં ઢોર પકડવાની ટીમના 15 થી વધુ લોકોની ટીમ આવી હતી. તેઓએ વૃદ્ધના ઘરે બાંધેલી ગાયોને છોડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સમયે માલધારી વૃદ્ધ વ્યક્તિ વચ્ચે જ બેસી ગયા અને બાંધેલી ગાયોને છોડીને લઈ જતા રોકી હતી. મહાપાલિકાની ઢોર પકડવા ગયેલી ટીમ સાથે ધક્કા મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વૃદ્ધનું હાર્ટ એટક આવતા મોત નિપજ્યું હતું. હંગામાનો માહોલ શોકમાં ફેરવાયો હતો.અને પરિવાર મૃતદેહ લઇને ઉસ્માનપુરા AMC ઓફિસ પહોંચ્યો છે.અને ન્યાય માટે હંગામો મચાવ્યો હતો.

સ્થાનિક રહીશોના મતે ઢોર પકડવાની ટીમ સાથે થયેલ ઘર્ષણ બાદ આ સમયે ઢોર પકડવા આવેલી ટીમના શખ્સોએ માર માર્યો હતો. અને વૃદ્ધના છાતી પર પણ લાત મારી હોવાનો આક્ષેપ લાગ્યો છે. સ્થાનિકોના મતે સમગ્ર મામલે માલધારીઓ ભારે આક્રોશમાં છે. વૃદ્ધના મોત બાદ આવેલી ટીમના આધિકારીઓ દોડી આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...