Wednesday, January 21, 2026

નવા વાડજમાં ઢોર પકડવા આવેલી ટીમ સાથેની માથાકૂટ થતાં માલધારીનું હાર્ટએટેકથી મોત

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજમાં ઢોર પકડવા આવેલી પાર્ટી સાથે માલધારી વૃદ્ધની ધક્કામુક્કી દરમિયાન માલધારી સમાજના એક વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. વૃદ્ધનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનો માલધારીઓ આક્ષેપ કરી રહ્યાં છે. અને પરિવાર મૃતદેહ લઇને ઉસ્માનપુરા AMC ઓફિસ પહોંચ્યો છે.અને ન્યાય માટે હંગામો મચાવ્યો હતો.

વિગતવાર જોઈએ તો, આજે સવારના સમયે નવા વાડજ વિસ્તારમાં ઢોર પકડવાની ટીમના 15 થી વધુ લોકોની ટીમ આવી હતી. તેઓએ વૃદ્ધના ઘરે બાંધેલી ગાયોને છોડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સમયે માલધારી વૃદ્ધ વ્યક્તિ વચ્ચે જ બેસી ગયા અને બાંધેલી ગાયોને છોડીને લઈ જતા રોકી હતી. મહાપાલિકાની ઢોર પકડવા ગયેલી ટીમ સાથે ધક્કા મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વૃદ્ધનું હાર્ટ એટક આવતા મોત નિપજ્યું હતું. હંગામાનો માહોલ શોકમાં ફેરવાયો હતો.અને પરિવાર મૃતદેહ લઇને ઉસ્માનપુરા AMC ઓફિસ પહોંચ્યો છે.અને ન્યાય માટે હંગામો મચાવ્યો હતો.

સ્થાનિક રહીશોના મતે ઢોર પકડવાની ટીમ સાથે થયેલ ઘર્ષણ બાદ આ સમયે ઢોર પકડવા આવેલી ટીમના શખ્સોએ માર માર્યો હતો. અને વૃદ્ધના છાતી પર પણ લાત મારી હોવાનો આક્ષેપ લાગ્યો છે. સ્થાનિકોના મતે સમગ્ર મામલે માલધારીઓ ભારે આક્રોશમાં છે. વૃદ્ધના મોત બાદ આવેલી ટીમના આધિકારીઓ દોડી આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...