Wednesday, January 21, 2026

અમદાવાદમાં ફરી AMTS બસ યમદૂત બની, બ્રેક ફેલ થતા ત્રણ વાહનોને લીધા અડફેટે, 1 મહિલાનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં યમદૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં AMTS બસની અડફેટે મહિલાનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અવાર નવાર AMTS બસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી હોય તેવુ જણાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે બપોરના 4.45 વાગ્યાના સુમારે જુહાપુરા ચાર રસ્તાથી સરખેજ સર્કેલ તરફ જતા અંબર ટાવર ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપર એક AMTS બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના પગલે આ બસે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં અજાણ્યા વાહન સાથે અકસ્માતમાં એક મહિલાને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેમને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

નોંધનીય છે કે, AMCના ડમ્પરો, ડોર ટુ ડોર કચરો લેતા વાહનો અને AMTS બસોના ડ્રાઈવરો બેફામ પણે ડ્રાઈવિંગ કરતાં હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાના સવાલો ચર્ચામાં છે. નરોડામા AMTS બસના ડ્રાઈવરે એક રાહદારી આધેડને ટક્કર મારતાં આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...