Thursday, January 22, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે AMC અને AUDAના 1651 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં યોજાનારા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. શનિવારે તેઓ સરખેજ, ગોતા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે અમદાવાદમાં 1651 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદના સરખેજ, ભાડજ, ઓગણજ, અને જગતપુરમાં નવા તળાવના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ ત્રાગડમાં બનેલા પબ્લિક પાર્ક અને તળાવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદ અને ઔડા દ્વારા નિર્મિત વિવિધ સુવિધાઓની શરૂઆત પણ કરાવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રાગડ પાસે લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધન કર્યુ. જેમાં તેમણે નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે લોકો માગે તે પહેલા જ સરકારે વિકાસના કામો કર્યા છે. 50 વર્ષે કામ થાય તેવા 4 કામ માત્ર 3 મહિનામાં કર્યા છે. તેમણે જણાવ્યુ કે હું આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે ગુજરાત સરકારનો આભાર માનુ છું. તેમણે જણાવ્યુ કે મે જ્યારે જ્યારે પત્ર લખ્યો હોય. પછી ભલે તે ઔડાનું કામ હોય, AMCનું કામ હોય કે પછી સરકારનું કામ હોય, મોટાભાગના કામોને પ્રાથમિકતા આપીને કરવામાં આવ્યા છે.

આ સાથે જ અમિત શાહે માહિતી આપી હતી કે છેલ્લા 52 મહિનામાં ગાંધીનગર વિસ્તારમાં 17 હજાર 544 કરોડ રુપિયાના કામો થયા છે. તેમાં ભારત સરકારના કામો અલગથી છે. તેમણે વડાપ્રધાન મોદીની કામગીરીની પ્રશંસા કરતા કહ્યુ કે અત્યાર સુધીમાં G20નું આયોજન ઘણા દેશોએ કર્યુ છે. જો કે ભારતમાં થયેલા આયોજનને લઇને બધા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ એકમુખે કહ્યુ કે G20નું આયોજન જે ભારતે કર્યુ છે, તે આવનારા 25 વર્ષ માટે વિશ્વના તમામ દેશો માટે પડકારરુપ રહેશે.

ભારતે આફ્રિકન યુનિયનને G20માં જોડવાનું કામ કર્યુ છે અને સમગ્ર વિશ્વમાં નેતૃત્વનો સંદેશ આપ્યો છે. સાથે જ તેમણે વડાપ્રધાન દ્વારા પાસ કરાવાયેલા મહિલા અનામત બિલની પણ વાત કરી અને જણાવ્યુ કે વર્ષોથી લટકતા મહિલા અનામત બિલને નવી સંસદમાં પહેલા બિલ તરીકે પાસ કર્યુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...