Wednesday, March 4, 2026

અમદાવાદમાં ધરણીધર દેરાસરથી નારણપુરા સુધી 108 ફૂટ લાંબી શાસન ધજા સાથે ભવ્ય રથયાત્રા યોજાઈ, ગૃહ રાજ્ય મંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યું

spot_img
Share

અમદાવાદ : આજે અમદાવાદમાં ધરણીધર દેરાસરથી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના ધારાસભ્યો અને જૈન આગેવાનો દ્વારા ફ્લેગ ઓફ કરાવી અને આ રથયાત્રાનું શુભારંભ કરાવ્યો હતો. પાલડી, વાસણા સહિતના વિવિધ જગ્યાના 99 જેટલા જૈન સંઘો આ રથયાત્રામાં જોડાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આ રથયાત્રામાં વિવિધ પ્રકારની રચનાઓ, તપસ્વીઓના શણગારેલા ઉંટગાડા, વાજિંત્રો, જૈન શ્રેષ્ઠિઓનું સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે, આઝાદીમાં યોગદાન દર્શાવતા ટેબલો અને હિંસા મુકત વિશ્વ વગેરેની રચનાઓ બનાવવામાં આવી છે. સમગ્ર રથયાત્રામાં યુવાનો પાઘડી, ખેસ અને બહેનો સાડી, ચણિયાચો ચોળી વગેરે સાંસ્કૃતિક પોશાકમાં જોડાયા હતા. રથયાત્રામાં વિવિધ પાઠશાળામાં ભણતા નાના બાળકો, બાલિકાઓ, મહિલા મંડળો, યુવક મંડળ વિશાળ સંખ્યામાં છે. 108 ફૂટ લાંબી શાસન ધજા લઈને સમગ્ર રથયાત્રામાં યુવાનો ચાલ્યા હતા. આ રથયાત્રા ધરણીધર જૈન દેરાસર પાસેથી નહેરુનગર ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી રોડ, દર્પણ પાંચ રસ્તા, દેવકીનંદન જૈન દેરાસર થઈ શ્રી નારણપુરા જૈન સંઘ ઉપાશ્રય ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી.

આ રથયાત્રામાં અનેક આચાર્ય ભગવન્ત્તો, સાધ્વીજી ભગવન્તો, શ્રાવક, શ્રાવિકાઓ વગેરે વિશાળ સંખ્યામાં જોડાયા હતા. વિવિધ જૈન હોસ્ટેલોમાં અભ્યાસ કરી રહેલા યુવાનોને પણ આ વિરાટ સામૂહિક રથયાત્રામાં જોડાયા હતા. વિશ્વમાં શાંતિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય તેવા શુભ આશયથી આ રથયાત્રાનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...