Monday, January 19, 2026

અમદાવાદમાં ધરણીધર દેરાસરથી નારણપુરા સુધી 108 ફૂટ લાંબી શાસન ધજા સાથે ભવ્ય રથયાત્રા યોજાઈ, ગૃહ રાજ્ય મંત્રીએ ફ્લેગ ઓફ કરાવ્યું

spot_img
Share

અમદાવાદ : આજે અમદાવાદમાં ધરણીધર દેરાસરથી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના ધારાસભ્યો અને જૈન આગેવાનો દ્વારા ફ્લેગ ઓફ કરાવી અને આ રથયાત્રાનું શુભારંભ કરાવ્યો હતો. પાલડી, વાસણા સહિતના વિવિધ જગ્યાના 99 જેટલા જૈન સંઘો આ રથયાત્રામાં જોડાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આ રથયાત્રામાં વિવિધ પ્રકારની રચનાઓ, તપસ્વીઓના શણગારેલા ઉંટગાડા, વાજિંત્રો, જૈન શ્રેષ્ઠિઓનું સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે, આઝાદીમાં યોગદાન દર્શાવતા ટેબલો અને હિંસા મુકત વિશ્વ વગેરેની રચનાઓ બનાવવામાં આવી છે. સમગ્ર રથયાત્રામાં યુવાનો પાઘડી, ખેસ અને બહેનો સાડી, ચણિયાચો ચોળી વગેરે સાંસ્કૃતિક પોશાકમાં જોડાયા હતા. રથયાત્રામાં વિવિધ પાઠશાળામાં ભણતા નાના બાળકો, બાલિકાઓ, મહિલા મંડળો, યુવક મંડળ વિશાળ સંખ્યામાં છે. 108 ફૂટ લાંબી શાસન ધજા લઈને સમગ્ર રથયાત્રામાં યુવાનો ચાલ્યા હતા. આ રથયાત્રા ધરણીધર જૈન દેરાસર પાસેથી નહેરુનગર ચાર રસ્તા, ગુજરાત યુનિવર્સિટી રોડ, દર્પણ પાંચ રસ્તા, દેવકીનંદન જૈન દેરાસર થઈ શ્રી નારણપુરા જૈન સંઘ ઉપાશ્રય ખાતે ધર્મસભામાં પરિવર્તિત થઇ હતી.

આ રથયાત્રામાં અનેક આચાર્ય ભગવન્ત્તો, સાધ્વીજી ભગવન્તો, શ્રાવક, શ્રાવિકાઓ વગેરે વિશાળ સંખ્યામાં જોડાયા હતા. વિવિધ જૈન હોસ્ટેલોમાં અભ્યાસ કરી રહેલા યુવાનોને પણ આ વિરાટ સામૂહિક રથયાત્રામાં જોડાયા હતા. વિશ્વમાં શાંતિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને જગતના સર્વ જીવોનું કલ્યાણ થાય તેવા શુભ આશયથી આ રથયાત્રાનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...