અમદાવાદમાં : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા દ્વારા ઓટો રીક્ષા,કેબ અને ટેક્ષીમાં વાહન ચાલકની સીટ પાછળ વાહન માલિકનું નામ,નંબર,પોલીસનો નંબર તથા હેલ્પલાઇન નંબર ફરજિયાત રાખવા સૂચના આપવામાં આવી છે.આ નિર્ણયના અમલ માટે રિક્ષાચાલકોને એક મહિનાની મુદ્દત આપવામાં આવી છે. જો એક મહિના બાદ બોર્ડ વગરનું રિક્ષા કે કેબ દેખાશે તો કાયદાકીય કાર્યવાહી થશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાના અમલમાં રિક્ષાચાલકોને કોઈ સમસ્યા ન આવે એ માટે પોલીસે રસ્તાઓ પર રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો છે. બોર્ડમાં કઈ કઈ વિગત રાખવી, કેવી રીતે બોર્ડ લગાવવા વગેરેની માહિતી પોલીસે રિક્ષાચાલકોને આપી છે. પોલીસે રસ્તાઓ પર ફરીને કેબ અને રિક્ષાચાલકોને સમજાવી રહી છે.અને રિક્ષાચાલકોમાં જાગૃતિ આવે તે માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં દોઢ લાખથી વધુ રિક્ષાઓ અને અંદાજે એક લાખ જેટલી કેબ દોડી રહી છે. અવારનવાર રિક્ષામાં પેસેન્જર સાથે લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વાહનમાં વિગતવાળું બોર્ડ ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો છે. રિક્ષાચાલકોમાં જાગૃતિ આવે તે માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે.


