Sunday, January 25, 2026

રિક્ષા-કેબ ચાલકો માટે મહત્વના સમાચાર, વાહનમાં ફરજિયાત લગાવવું પડશે આ વિગતો વાળું માહિતી બોર્ડ

spot_img
Share

અમદાવાદમાં : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા દ્વારા ઓટો રીક્ષા,કેબ અને ટેક્ષીમાં વાહન ચાલકની સીટ પાછળ વાહન માલિકનું નામ,નંબર,પોલીસનો નંબર તથા હેલ્પલાઇન નંબર ફરજિયાત રાખવા સૂચના આપવામાં આવી છે.આ નિર્ણયના અમલ માટે રિક્ષાચાલકોને એક મહિનાની મુદ્દત આપવામાં આવી છે. જો એક મહિના બાદ બોર્ડ વગરનું રિક્ષા કે કેબ દેખાશે તો કાયદાકીય કાર્યવાહી થશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાના અમલમાં રિક્ષાચાલકોને કોઈ સમસ્યા ન આવે એ માટે પોલીસે રસ્તાઓ પર રિક્ષાચાલકો સાથે સંવાદ કર્યો છે. બોર્ડમાં કઈ કઈ વિગત રાખવી, કેવી રીતે બોર્ડ લગાવવા વગેરેની માહિતી પોલીસે રિક્ષાચાલકોને આપી છે. પોલીસે રસ્તાઓ પર ફરીને કેબ અને રિક્ષાચાલકોને સમજાવી રહી છે.અને રિક્ષાચાલકોમાં જાગૃતિ આવે તે માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં દોઢ લાખથી વધુ રિક્ષાઓ અને અંદાજે એક લાખ જેટલી કેબ દોડી રહી છે. અવારનવાર રિક્ષામાં પેસેન્જર સાથે લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વાહનમાં વિગતવાળું બોર્ડ ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો છે. રિક્ષાચાલકોમાં જાગૃતિ આવે તે માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...